આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય-શુભેચ્છા મુલાકાત માટે મુખ્યમંત્રી કાર્યાલયે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને શ્રમિકોને થતી હેરાનગતિ અટકાવવા સૂચન કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ અધિકારીઓને કર્યું સૂચન
શ્રમિકોને થતી હેરાનગતિ અટકાવવા કર્યું સૂચન
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી હતી મુલાકાત
આજે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યલય ખાતે SP, IG, DIG અને DG કક્ષાના અધિકારીઓ કોલ ઓન માટે પહોંચ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના સિનિયર IPS અધિકારીઓએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને થતી હેરાનગતિ અટકાવવા સૂચન કર્યું હતું.
શ્રમિકોને થતી હેરાનગતિ અટકાવવા કર્યું સૂચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય-શુભેચ્છા મુલાકાત અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના નેતૃત્વમાં અમદાવાદ શહેર પોલીસના અધિક કમિશનરો, સંયુક્ત પોલીસ કમિશનરો તેમજ અમદાવાદ શહેરમાં સમાવિષ્ટ વિવિધ પોલીસ ઝોનના નાયબ કમિશનરોઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના વ્યક્તિઓ સહિત શ્રમિકોને કોઇ ખોટી પરેશાની કે રંજાડ ન થાય તેવી સુદ્રઢ વ્યવસ્થાઓ ઊભી કરવાનું પ્રેરક સૂચન કરાયું હતું.
CM પટેલે આપ્યું માર્ગદર્શન
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જેવા મહાનગરમાં કાયદો વ્યવસ્થાની સંગીન સ્થિતી રહે તથા નાગરિકોને પુરતી સુરક્ષા-સલામતિનો અહેસાસ થાય તેવી ફરજનિષ્ઠા માટે પોલીસ અધિકારીઓને ‘ટીમ અમદાવાદ પોલીસ’ને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થાની આપી જાણકારી
આ સાથે જ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અમદાવાદના આંગણે હાલ યોજાઇ રહેલા પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ખાતે આવતા લોકોની સુરક્ષા-સલામતિ વ્યવસ્થાઓની જાણકારી મુખ્યમંત્રીને આપી હતી.