— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 10, 2022
ગાંધીનગરના ઘીયોડ ગામના ગામના લોકો CM ભુપેન્દ્ર પટેલે કરી ચર્ચા
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપુર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા કંથારપુર વડની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ગાંધીનગરના ઘીયોડ ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. ભુપેન્દ્ર પટેલની આ મુલાકાત દરમિયાન તેઓએ ગ્રામજનો સાથે ગામમાં રહેલી સુવિદ્યાઓ સહિત પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. મહત્વનું છે કે, દહેગામના કંથર વડની મુલાકાત દરમિયાન અચાનાક જ ઘીયોડ ગામની મુલાકાત લીધી
મનને આધ્યાત્મિક શાંતિ આપતું એક અદ્ભુત સ્થળ એટલે ગાંધીનગર નજીક આવેલું કંથારપુર મહાકાળી વડ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ સ્થાનને આપણે યાત્રા-પ્રવાસન ધામ તરીકે વિકસાવી રહ્યા છીએ. આજે આ સાઈટની મુલાકાત લઈ અહીં ચાલી રહેલ વિકાસ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. pic.twitter.com/ga3wSpiPiU
કંથારપુર વડના વિવિધ વિકાસ પ્રોજેક્ટની માહિતી લીધી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક દહેગામ તાલુકાના કંથારપુર મહાકાળી વડના યાત્રા-પ્રવાસન ધામ વિકાસ પ્રોજેક્ટની વિવિધ કામગીરીની જાત-માહિતી મેળવવા કંથારપુર વડની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં આ કંથારપુર મહાકાળી વડનો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રા-પ્રવાસન ધામ તરીકે અદ્યતન સુવિધા સાથે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય અને અધિકારીઓ સાથે કંથારપુર મહાકાળી વડ પહોંચ્યા હતા.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ હેતુસર રૂપિયા 6 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાના વિકાસકામોમાં આ સ્થળે નયનરમ્ય લેન્ડ સ્કેપિંગ, ધ્યાનયોગ માટેની જગ્યાઓ, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા તેમ જ પાણીનો બોર, ઈલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગ કામગીરી હાથ ધરાઈ રહ્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પ્રવાસન સચિવ હારિત શુક્લ તેમજ ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્ય અને અધિકારીઓ સાથે કંથારપુર મહાકાળી વડ પહોંચ્યા હતા.