આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે છે મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિતે બાપુને શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રીએ કિર્તિ મંદિરની મુલાકાત લીધી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોરબંદરની મુલાકાતે
પ્રવાસીઓને સરળતાથી કીર્તિમંદિરની માહિતી મળી શકશે
માહિતી ઓનલાઈન મળી રહે તે માટે વેબસાઇટનું લોન્ચિંગ
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોરબંદરની મુલાકાતે છે મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિતે બાપુને શ્રદ્ધાંજલિ આપી મુખ્યમંત્રીએ કિર્તિ મંદિરની મુલાકાત લીધી હતી અને વહેલી સવારે સર્વધર્મ પ્રાર્થનામાં પણ જોડાયા હતા.
માહિતી ઓનલાઈન મળી રહે તે માટે વેબસાઇટનું લોન્ચિંગ
મહત્વનું છે કે 2 ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ મહાત્મા ગાંધી જ્યાં જનમ્યા તે ગાંધી કુટુંબનાં બાપદાદાઓનાં આ ઘરની લગોલગ ’કિર્તિ મંદિર’ આવેલું છે, ત્યારે કિર્તિ મંદિરની માહિતી ઓનલાઈન મળી રહે તે માટે મુખ્યમંત્રીને હસ્તે એક વેબલાઈટનું પણ લોન્સિંગ કરવામાં આવ્યું,
પ્રવાસીઓને સરળતાથી કીર્તિમંદિરની માહિતી મળી શકશે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીએ બ્રિટિશરોને દેશ છોડવા મજબૂર કર્યા હતા એટલું જ નહીં ગાંધીજીએ સફાઈ, ગ્રામીણ ઉદ્ધાનનો મંત્ર પણ આપ્યો છે. CM એ વધુ માં કહ્ય કે આ સફાઈના મંત્રને PM મોદી દ્વારા આગળ વધારવામાં આવ્યો છે તેમજના દ્વારા વર્ષ 2014માં પોરબંદરથી જ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ ગઈ કાલે આ સેવાની પણ મુદ્દત વધારી
મહત્વનું છે કે ગઈ કાલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી યોજનાનો ભાલ લેવા માટે દેખાડવું પડતું આવકના પ્રમાણપત્રને ત્રણ વર્ષ માન્ય ગણવાનો નિર્ણય કર્યો છે. સરકારની વિવિધ યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીએ ગ્રામીણકક્ષાએ ઈગ્રામ વિશ્વગ્રામ કેંદ્ર પર તલાટી કમ મંત્રી પાસેથી દર વર્ષે આવકનું પ્રમાણપત્ર કઢાવવુ પડે છે. જેને લીધે લોકોને દર વર્ષે હાલાકીનો સામનો કરવો પડે છે. તેથી હવે ઈ ગ્રામ વિશ્વ ગ્રામ કેંદ્ર પરથી અપાતા આવકના પ્રમાણપત્રની સમય મર્યાદા એકને બદલે ત્રણ વર્ષ કરી દેવામાં આવી છે.