રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે જણાવ્યુ હતું કે પહેલુ ખાન મામલે છેલ્લી સરકારે બેરદકારી રાખી છે તેના કારણે જ આરોપીઓ વિરૂદ્ધ કોઇ પ્રમાણ મળી શક્યુ નથી. અને તેઓ છૂટી ગયા છે. તેમણે કહ્યું કે હવે આ પ્રકારના મામલાઓની તપાસ માટે મોનિટરીંગ સેલ બનાવવામાં આવશે.
Rajasthan Chief Minister & Congress leader, Ashok Gehlot: Pehlu Khan case (2017 Alwar lynching) was discussed, the negligence by the earlier government cannot be imagined, that is why accused were given the benefit of doubt by the court and were acquitted. pic.twitter.com/ESIKNWsDnc
વસુંધરા રાજેના નેતૃત્વ વાળી સરકારની ભૂમિકા અંગે કરાશે તપાસ
રાજસ્થાનમાં પહેલું ખાનની મારમારીને હત્યા કરવાના મામલે ભાજપની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. અશોક ગહેલોતે કહ્યું કે પહેલુ ખાનની હત્યા મામલે વસુંધરા રાજેના નેતૃત્વ વાળી છેલ્લી ભાજપની સરકારની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે.
SIT કરશે તપાસ
અત્યારે આ મામલાની તપાસ SIT પાસે કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારે આ નિર્ણય ત્યારે કર્યો કે જયારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને અલવરની નિચલી અદાલતના નિર્ણયને ચિંતાજનક જણાવ્યો હતો. આ અગાઉ અલવરની નિચલી અદાલતે 14 ઓગસ્ટના પહેલૂખાન મામલે 6 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યાં છે.
શું હતો મામલો?
આપને જણાવી દઈએ કે એક એપ્રિલ 2017ના પહલૂ ખાન પોતાના 2 દિકરા ઉમર અને તાહિરની સાથે જયપુરના પશુ બજારમાંથી પશુ ખરીદીને પોતાના ઘરે જઇ રહ્યા હતા. આ વચ્ચે રાજસ્થાનના અલવરના બહરોડ પુલિયાની પાસે ભીડે ગાડી રોકીને પહલૂ ખાન અને તેના દિકરાઓ સાથે મારપીટ કરી.
જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસને મળી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પહલૂ ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો. સારવાર દરમિયાન 3 દિવસ પછી તેની મૃત્યુ થઇ. જેના કારણે ત્રણ દિવસ બાદ પહલૂ ખાનનું મોત નીપજ્યું હતું.