રાજસ્થાનમાં ગેહલોત સરકારે 15 દિવસના લોકડાઉનની તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજસ્થાનમાં 15 દિવસના લોકડાઉનની સંભાવના
રવિવારે રાજસ્થાન કેબિનેટની બેઠક મળી
મંત્રીઓએ ઓછામાં ઓછા 15 દિવસના લોકડાઉનની હિમાયત કરી
જયપુર, જોધપુર, ઉદયપુર, બીકાનેર, કોટામાં સૌથી વધારે કોરોનાના કેસો
રવિવારે રાજસ્થાન કેબિનેટની બેઠક મળી હતી જેમાં મંત્રીઓએ ઓછામાં ઓછા 15 દિવસના લોકડાઉનની હિમાયત કરી હતી. જયપુર, જોધપુર, ઉદયપુર, બીકાનેર, કોટામાં સૌથી વધારે કોરોનાના કેસો છે એટલે ત્યાં લોકડાઉન લગાડવાની માંગ ઉઠી હતી.
મંત્રીઓએ લોકડાઉનનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી અશોક ગેહલોત પર છોડ્યો છે. હવે રાજસ્થાનમાં ગમે ત્યારે લોકડાઉન લાગી શકે છે.
દેશમાં કોરોનાના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજ 2 લાખથી વધુ નવા કેસ આવવાની સાથે આજે આ આંક 2.60 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 1500થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં 2.60 લાખ નવા કેસના આવતાં જ ગઈકાલના કેસની સરખામણીએ 11. 5 ટાકનો વધારો જોવા મળ્યો છે.
ભારતમાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે કોરોના
ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 2 લાખ 60 હજાર 533 આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 17 લાખ 93 હજાર 976 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 47 લાખ 82 હજાર 461 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 28 લાખ 5 હજાર થઈ છે.
કોરોનાથી રિકવરી રેટ ઘટ્યો
કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની રિકવરીનો રેટ ઘટીને 87.23 ટકા થયો છે. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,26,71,220 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.