આજે દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે. કેજરીવાલની સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે.. જેમા મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય અને કૈલાશ ગહેલોત મંત્રીપદે યથાવત રહશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ અપાયુ છે. દિલ્હીના 7 સાંસદોને પણ શપથગ્રહણનું આમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્લી વિધાનસભામા 70માંથી 62 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.
Delhi: Chief Minister-designate Arvind Kejriwal to swear-in as Chief Minister for the third time at Ramlila Ground today. (File pic) pic.twitter.com/vttl35li9F
અરવિંદ કેજરીવાલે દિલ્હીથી સમાજસેવાની શરૂઆત કરી હતી. આરટીઆઈ આંદોલનની શરૂઆત અહીંથી થઈ હતી. કેજરીવાલે સંગઠન પરિવર્તનની ઓફિસ અહીં ખોલી હતી. આ આંદોલનથી તેમને ઓળખ મળી અને સાથે જ રેમન મેગ્સેસે પુરસ્કાર પણ મળ્યો અને તેમની વૈશ્વિક ઓળખ બની. જનલોકપાલ આંદોલનની શરૂઆત પહેલાં તેઓએ 2009માં 3 મહીના અહીં જ વીતાવ્યા હતા.
આ કારણોથી કેજરીવાલને મળી જીત
રાજનીતિમાં આવ્યા બાદ પણ આ આંદોલન સાથે તેમનો લગાવ કાયમ રહ્યો. દિલ્હીમાં જનાધાર વધારવા માટે તેઓએ અહીં ઉપવાસ કાર્યક્રમ કર્યો અને વીજળી આંદોલનની પણ શરૂઆત કરી. અન્ય કારણોથી તેઓ ફ્રી અને સસ્તી વીજળી અને ફ્રી પાણી સાથે ત્રીજી વખત સત્તા મેળવી લેવામાં સફળ રહ્યા છે.
જાણો કેજરીવાલ અને તેમના મંત્રીઓની પ્રોફાઈલ અને સાથે જ કોણે કેટલા મતથી મેળવી જીત
Delhi: Preparations underway for the swearing-in ceremony of Chief Minister-designate Arvind Kejriwal at Ramlila Ground. He will take oath as CM for the third time today. pic.twitter.com/QbyMhGkBwZ
શિક્ષણ: આઈ.આઈ.ટી.
ક્યાંથી મેળવી જીત : નવી દિલ્હી
કોને હરાવ્યા: ભાજપના સુનિલકુમાર યાદવ
કેટલા મતોથી પરાજિત: 21697
વિશેષ: ગઈ વખતે તેઓ મુખ્યમંત્રી હતા અને તેમની પાસે જળ વિભાગ પણ હતો.
-વિભાગની સિદ્ધિઓ
નિ: શુલ્ક પાણી પૂરું પાડ્યું
ગટર અને પાણીની પાઇપલાઇન વિકસાવી
- વિભાગ તરફથી આશાઓ
યમુનાની સફાઇ અને તેને આગામી પાંચ વર્ષમાં સ્નાન કરવા યોગ્ય બનાવવું
24 કલાક પાણી પુરવઠાની ખાતરી