શપથ ગ્રહણ / રામલીલા મેદાનમાં આજે કેજરીવાલ લેશે CM પદના શપથ, નહીં થાય મંત્રીમંડળમાં મોટો ફેરફાર

Chief Minister Arvind Kejriwal Will Take Oath With His Cabinet At Ramlila Maidan Today

આજે દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળશે. કેજરીવાલની સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે.. જેમા મનિષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય અને કૈલાશ ગહેલોત મંત્રીપદે યથાવત રહશે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ અપાયુ છે. દિલ્હીના 7 સાંસદોને પણ શપથગ્રહણનું આમંત્રણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે, દિલ્લી વિધાનસભામા 70માંથી 62 બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ