અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ભાજપે અમને ઓફર કરી હતી કે જો અમે ગુજરાત છોડી દઈશું તો તેઓ સત્યેન્દ્ર જૈનને છોડી દેશે.
ભાજપની ઓફર હતી કે ગુજરાત છોડી દો, અમે સત્યેન્દ્ર જૈનને છોડી દઈશું: કેજરીવાલ
મોરબી દુર્ઘટના પરથી ધ્યાન હટાવવા માટેનો પ્લાનઃ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક ટીવી શૉ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન મામલે કહ્યું કે, 'અમારી પાસે ભાજપની એક ઓફર આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત છોડી દો, અમે સત્યેન્દ્ર જૈનને છોડી દઈશું.'
આ ભાજપની સુંદર વાર્તાઓ છેઃ CM કેજરીવાલ
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા સત્યેન્દ્ર જૈન પર લગાવવામાં આવેલા આરોપોને લઈને કહ્યું કે, ઘણા સમય પહેલા સુંદર વાર્તાઓ (મનોહર કહાનીઓ) આવતી હતી, તેવી જ રીતે આ બધી ભાજપની સુંદર વાર્તાઓ (lovely stories) છે. આ બધુ મોરબીમાં થયેલી દુર્ઘટના પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપની આ સુંદર વાર્તાઓને કોઈ ખરીદશે નહીં. અરવિંદ કેજરીવાલે કહ્યું કે,'સત્યેન્દ્ર જૈનને વધુ 3 મહિના સુધી જેલમાં રાખો. તમે અમને તોડી નહીં શકો.'
મેં ગુજરાતની જનતાને આપ્યું છે વચનઃ કેજરીવાલ
ગુજરાત ચૂંટણી પર ચર્ચા કરતી વખતે કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જો ભાજપે અહીં કામ કર્યું હોત તો 27 વર્ષ પછી અમને ગુજરાતમાં સ્થાન ન મળ્યું હોત. સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતના લોકો કેજરીવાલને પોતાનો ભાઈ માનવા લાગ્યા છે, પોતાના પરિવારનો એક ભાગ માનવા લાગ્યા છે. મેં ગુજરાતની જનતાને વચન પણ આપ્યું છે કે જો અમારી સરકાર બનશે તો હું તમારા પરિવારનો એક ભાગ બનીને જવાબદારી નિભાવીશ.