સૂત્રો દ્વારા મળતી માહિતિ અનુસાર અયોધ્યા જમીન વિવાદ કેસમાં ખંડપીઠનું નેતૃત્વ કરનારા રંજન ગોગોઈએ કેટલાક અનિવાર્ય કારણોના કારણે પોતાની વિદેશ યાત્રા રદ્દ કરી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ વિદેશ યાત્રા રદ્દ કરી
રંજન ગોગોઈએ અનિવાર્ય કારણોસર રદ્દ કરી યાત્રા
અધિકારીક કાર્યક્રમમાં હાજરી આપવા વિદેશ જવાના હતા
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાની વિદેશ યાત્રા રદ્દ કરી છે. તેઓએ અધિકારિક કાર્યક્રમોમાં સામેલ થવા વિદેશ જવાના હતા. સૂત્રોએ બુધવારે જણાવ્યું કે અયોધ્યા જમીન વિવાદ કેસમાં પીઠનું નેતૃત્વ કરનારા ગોગોઈએ કેટલાક અનિવાર્ય કારણોને લઈને વિદેશ યાત્રા રદ્દ કરી હતી. ગોગોઈએ પીઠનું નેતૃત્વ કરવાની સાથે અયોધ્યા કેસમાં બુધવારે સુનાવણી પૂરી કર્યા બાદ નિર્ણયને સુરક્ષિત રાખવાનું જણાવ્યું હતું.
અનિવાર્ય કારણોસર રદ્દ કરી વિદેશયાત્રા
ચીફ જસ્ટિસ 17 નવેમ્બરના રોજ નિવૃત્તિ લેતા પહેલા કેટલાક દક્ષિણ અમેરિકાના દેશો, મધ્ય પૂર્વ અને કેટલાક અન્ય દેશોની મુલાકાત લેવાના હતા. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશે સૂચિત વિદેશ મુલાકાતોને અંતિમ સ્વરૂપ આપ્યા પહેલા રદ કરી દીધું છે. ગયા વર્ષે 3 ઓક્ટોબરે ગોગોઈએ ભારતના 46મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા.
રંજન ગોગોઈની નિવૃત્તિ પહેલાં આવશે નિર્ણય
CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચે 40 દિવસ સુધી અયોધ્યા મામલામાં મેરેથોન સુનાવણી રાખી છે. અયોધ્યા કેસનો નિર્ણય 4 નવેમ્બરથી 17 નવેમ્બરની વચ્ચે થવાની સંભાવના છે, કેમ કે CJI ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.