બ્રેકિંગ ન્યુઝ
VTV / chief justice of india ranjan gogoi says in supreme court that if requirement arises i may visit jammu kashmir
Mehul
Last Updated: 02:18 PM, 16 September 2019
ADVERTISEMENT
આ મામલાની સુનાવણી દરમિયાન CJIએ સરકારને પૂછ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે અત્યાર સુધી શું પગલા ઉઠાવ્યા છે તેની જાણકારી આપે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારે જણાવ્યું કે એક પણ ગોળી ચલાવાઇ નથી. કેટલાક સ્થાનિય પ્રતિબંધો લાગ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે કાશ્મીરમાં જો કથિત બંધ છે તો તેને જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટથી નીપટાવી શકાય છે.
ADVERTISEMENT
જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, કાશ્મીર સ્થિત તમામ સમાચાર પત્ર ચાલી રહ્યા છે. અને સરકાર તમામ સંભવ મદદ કરી રહી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં પહોંચવા માટે મીડિયાને 'પાસ' આપવામાં આવ્યા છે અને પત્રકારોને ફોન અને ઇન્ટરનેટની સુવિધા અપાઇ રહી છે.
દૂરદર્શન જેવી ટીવી ચેનલ અને અન્ય ખાનગી ચેનલ, એફએમ નેટવર્ક કામ કરી રહ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું કે એક ગોળી પણ ચલાવાઇ નથી અને કેટલાક સ્થાનિય પ્રતિબંધો લાગ્યા છે. તેના પર સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલને કહ્યું કે આ સોગંધનામાનું વિવરણ આપવામાં આવે અને સામાન્ય સ્થિતિ બનાવવા પ્રયાસ કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.