દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી.રાવતે ચૂંટણીમાં વપરાતા કાળાધન મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતું કાળુનાણુ ચૂંટણી પ્રક્રિયા માટે જોખમરૂપ છે અને હાલનો કાયદો આ પ્રક્રિયા પર રોક લગાવી શકશે નહીં.
વધુમાં તેમણે કહ્યું કે ષડયંત્ર કરીને ડેટાચોરી કરનારી કેમ્બ્રિજ એન્ટિલિકા જેવી કંપની અને ખોટા સમાચાર ફેલાવનારા લોકો ચૂંટણી પ્રક્રિયામાં જોખમ ઉભું કરે છે. ઓ.પી.રાવત આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા તે સમયે આ નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીઓમાં કાળાનાણાનો દુરુપયોગએ ભારત અને ભારતીય ચૂંટણી માટે એક મોટી ચિંતા છે. હાલનું કાયદાકીય માળખુ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણપણે યોગ્ય નથી.
તેથી આ દિશામાં કમિશને ઘણા સુધારાત્મક પગલાં સૂચવ્યાં છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી વિજય દેવની પહેલ પર સેમિનારમાં પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની ચર્ચા આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ રહેશે.