પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદંબરમે જમ્મૂ-કાશ્મીરના સંવિધાનના આર્ટિકલ 370ને સમાપ્ત કરવા બાબતે હિંદુ-મુસ્લિમ કાર્ડ રમ્યું. તેઓએ રવિવારે બીજેપીની નિંદા કરી અને કહ્યું કે જો જમ્મૂ-કાશ્મીર હિંદુ બહુમતિ રાજ્ય હોત તો ભારતીય જનતા પાર્ટી આ રાજ્યનો વિશેષ દરજ્જો ન છીનતી.
ચિદંબરમે આરોપ લગાવ્યો કે બીજેપીએ પોતાની તાકાતથી આર્ટિકલ 370 સમાપ્ત કર્યો છે. તેઓએ કહ્યું કે જમ્મૂ-કાશ્મીર અસ્થિર છે અને આંતરરાષ્ટ્રિય સમાચાર એજન્સીઓ તે સ્થિતિને કવર કરી રહી છે પરંતુ ભારતનું મીડિયા તેને કવર કરતું નથી. તેઓએ કહ્યું કે બીજેપી દાવો કરે છે કે હાલ કાશ્મીરની સ્થિતિ સારી છે. પણ ભારતીય મીડિયા અશાંત સ્થિતિ કવર કરતી નથી તો તેનો અર્થ એ નથી કે ત્યાં શાંતિ છે.
7 રાજ્યોમાં સત્તામાં બેઠેલા નેતાઓને પણ ચિદંબરમે બાનમાં લીધા. તેઓએ કહ્યું કે બીજેપીના ભયના કારણે તેઓએ સપોર્ટ કર્યો નથી. વિપક્ષી પાર્ટીઓના અસહયોગ પર અસંતોષ વ્યક્ત કરતાં ચિદંબરમે કહ્યું અમને ખબર છે કે લોકસભઆમાં અમારી પાસે બહુમત નથી પણ અન્ય 7 પાર્ટીઓએ સહયોગ કર્યો હોત તો રાજ્યસભામાં વિપક્ષ બહુમતમાં હોત. જમ્મૂ-કાશ્મીરના સૌરામાં લગભગ 10 હજાર લોકોએ વિરોધ કર્યો છે. પોલિસ કાર્યવાહી પણ કરવામાં આવી અને ગોળીબાર થયા તે વાત સાચી છે. પણ 70 વર્ષના ઇતિહાસમાં આવું કોઈ ઉદાહરણ જાણવા મળ્યું નથી જેથી રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવે.
ચિદંબરમે આરોપ પણ લગાવ્યો છે કે જો જમ્મૂ-કાશ્મીર હિંદુ બહુમતી રાજ્ય હોત તો બીજેપી આવું ન કરતી. અહીં મુસ્લિમ બહુમતી હોવાના કારણે આ નિયમ હટાવવામાં આવ્યો છે. નહેરુ અને સરદારના સમયે ક્યારેય આવી સંઘર્ષની સ્થિતિ સર્જાઈ ન હતી. ચિદંબરમે કહ્યું કે પટેલ ક્યારેય આરએસએસના પદાધિકારી રહ્યા નથી. તેમનો કોઈ નેતા નથી, તે નેતા ચોરી રહ્યા છે. ઈતિહાસ તો જાણે જ છે કે કોણ કોની સાથે જોડાયેલું છે.