આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ મોદી સરકારને મોટો ઝાટકો આપ્યો છે. IMF અનુસાર 2019-20માં ભારતના સકલ ઘરેલૂ ઉત્પાદન (જીડીપી)માં વધારો માત્ર 4.8 ટકા રહેશે. જીડીપી વધે તો આર્થિક વિકાસદર વધે છે. આ આંકડા દેશના વિકાસ પર આંગળી ચીંધે છે. ગોપીનાથને જાનનું જોખમ?
ભારતમાં જીડીપીની ગણના દર ત્રણ મહિને આધારે થાય છે
પી. ચિદમ્બરનો GDPને લઈને ભાજપ સરકાર પર પ્રહાર
મોદી અને અમિત શાહની જોડી ભારતીય અર્થતંત્રને નબળુ બનાવી રહી છે
જીડીપી એટલે શું?
જીડીપી એટલે કોઈ ચોક્કસ સમય દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત. ભારતમાં કૃષિ, ઉદ્યોગ અને સેવા મુખ્ય ત્રણ ઘટક છે, જેમાં ઉત્પાદનની વધઘટના સરેરાશ પર જીડીપીનો આધાર રહેલો છે. જીડીપી વધે તો આર્થિક વિકાસદર વધે છે. આ આંકડા દેશના વિકાસ પર આંગળી ચીંધે છે.
ભારતમાં જીડીપીની ગણના દર ત્રણ મહિને આધારે થાય છે.
IMFના આ અનુમાન પછી કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ અને પૂર્વ કાનૂન મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે, હવે મોદી સરકારના મંત્રી IMF અને મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ પર હુમલો કરશે.
પી. ચિદમ્બરનો GDPને લઈને ભાજપ સરકાર પર પ્રહાર
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે કહ્યું, નોટબંધીની નિંદા કરનારાઓમાં આઈએમએફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપનાથ હતા. મને લાગે છે કે, આપણે આઈએમએફ અને ડો. ગીતા ગોપીનાથ પર સરકારના મંત્રીઓના હુમલા માટે પોતાને તૈયાર રાખવા જોઈએ. બધી જ કોશિશો પછી પણ જીડીપી 4.8 ટકા રહેશે. જો આ આનાથી પણ ઓછી થાય તો મને આશ્ચર્ય થશે નહીં. આઈએમએફના રિયાલિટી ચેકમાં 2019-20માં ગ્રોથ રેડ 5 ટકાથી ઘટાડાની 4.8 ટકા હશે.
IMF Chief Economist Gita Gopinath was one of the first to denounce demonetisation.
I suppose we must prepare ourselves for an attack by government ministers on the IMF and Dr Gita Gopinath.
મોદી અને અમિત શાહની જોડી ભારતીય અર્થતંત્રને નબળુ બનાવી રહી છે
જ્યારે કપિલ સિબ્બલે કહ્યું, આઈએમએફે 2019-20 માટે ભારતના જીડીપીને ઘટાડીને 4.8 ટકા કરી દીધું. આનાથી દુનિયા અર્થવ્યવસ્થા પડી ભાંગશે. . આખા ભારતમાં લોકો, યુવા અને વૃદ્ધો પ્રદર્શન કરી રહ્યાં છે. તેમને કહ્યું મોદી અને અમિત શાહની જોડી ભારતીય લોકતંત્રને નબળુ બનાવી રહી છે.