પૂર્વ નાણા મંત્રીએ પી ચિદમ્બરમે ટ્વીટ કરી કહ્યું કે આ નવાઈની વાત નથી કે આરબીઆઈ ગવર્નર, સેબીના અધ્યક્ષ અને આર્થિક બાબતોના સચિવ એક જ વિષય પર એક જ દિવસે વાત કરી હતી? આ ત્રણેયે અર્થવ્યવસ્થા પર વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ચિદમ્બરમે નિશાન સાધતા કહ્યું કે અર્થવ્યવસ્થા એક સર્કસનો સિંહ હોય છે જે રિંગમાસ્ટરની છડીના હિસાબે ચાલે છે. તેમના જણાવ્યાનુંસાર જ્યાં સુધી સરકાર નીચલા વર્ગના હાથમાં પૈસા નથી આપતી અને ગરીબોની થાળીમાં ભોજન નથી પહોંચાડતી ત્યાં સુધી અર્થવ્યવસ્થામાં સુધારો નહીં થાય.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાણા મંત્રીને ટેગ કરતા કહ્યું કે હું જે કહી રહ્યો છું તેમાં કોઈ શંકા હોય તો તમે બસ બિહારના મતદાતાનો અવાજ સાંભળી લો. તેમની પાસે કામ નથી અથવા પુરતુ કામ નથી. કોઈ આવક નથી. હાલમાં તેમના વિચારોના કેન્દ્રમાં જીવન ટકાવી રાખવા પર છે. ખર્ચ કરવા પર નહીં.’
जब तक सरकार निचले आधे परिवारों के हिस्से के हाथों में पैसा नहीं डालती है और गरीबों की थाली में खाना नहीं डालती है, तब तक अर्थव्यवस्था में सुधार नहीं होगा।
ઉલ્લેખનીય છે કે આરબીઆઈ ગવર્નર, સેબીના અધ્યક્ષ અને આર્થિક બાબતોના સચિવે અર્થવ્યવસ્થાને લઈને અલગ અલગ નિવેદનો આપ્યા હતા. જેમાં અર્થતંત્રની સ્થિતિની વાત કરી હતી.