દિલ્હીના અરવિંદ કેજરીવાલ સરકારે જવાહરલાલ નેહરૂ વિશ્વવિદ્યાલય (JNU) વિદ્યાર્થીસંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયાકુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. કોંગ્રસ નેતા પી. ચિદમ્બરમે દિલ્હી સરકારના આ નિર્ણય પર નારજગી વ્યક્ત કરી છે.
કનૈયાકુમાર પર રાજદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી આપવા બાબતે
ચિદમ્બરમે દિલ્હી સરકારના આ નિર્ણય પર નારજગી વ્યક્ત કરી
કેન્દ્ર સરકારની જેમ જ દિલ્હી સરકારની પણ સમજ ઓછી
પી. ચિદમ્બરમે આજરોજ ટવિટ કરી રાજદ્રોહ કાયદા અંગે કેન્દ્ર સરકારની જેમ જ દિલ્હી સરકારની પણ સમજ ઓછી છે. હું ભારતીય દંડ સહિંતા (IPC) ની ધારા 124A અને 120B હેઠળ કનૈયાકુમાર અને અન્ય વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચલાવાની મંજૂરી આપવાનો કડક વિરોધ કરુ છું.
राजद्रोह कानून की अपनी समझ में दिल्ली सरकार भी केंद्र सरकार से कम अनजान नहीं है।
श्री कन्हैया कुमार और अन्य के खिलाफ आईपीसी की धारा 124 ए और 120 बी के तहत मुकदमा चलाने के लिए दी गई मंजूरी को मैं पूरी तरह से अस्वीकृत करता हूं।
દિલ્હી સરકારના નિર્ણય પર કનૈયાકુમાર પોતાની પ્રતિક્રિયા આપી છે. કન્હૈયા કુમારે એક ટવિટ દ્વારા શુક્રવારે જણાવ્યું, દિલ્હી સરકારને રાજદ્રોહના કેસને મંજૂરી આપવા માટે ધન્યવાદ. દિલ્હી પોલીસ અને સરકારી વકીલોને આગ્રહ કરું છે કે આ કેસને હવે ગંભીરતાથી લેવામાં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપી ટ્રાયલ થાય અને ટીવી વાળી 'આપ કી અદાલત' ની જગ્યા કાયદાની અદાલતમાં ન્યાય સુનિશ્ચિત કરવામાં આવે. સત્યમેવ જયતે.
શું છે પૂરો મામલો ?
JNU માં નારેબાજીનો વીડિયો 9 ફેબ્રુઆરી 2016 સામે આવ્યો હતો, જેમાં કથિત રીતે દેશ વિરોધી નારા લગાવામાં આવ્યાં હતા. વીડિયો સામે આવ્યાં બાદ વિદ્યાર્થી સંઘ દ્વારા તત્કાલિન અધ્યક્ષ કનૈયાકુમાર અને અન્યની સામે રાજદ્રોહનો કેસ દાખલ થયો, પરંતુ પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા દિલ્હી સરકાર પાસે તેને લઇને મંજૂરી નહીં મળવા અંગેની જાણકારી આપી હતી.