કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમેં દેશમાં કોરોના વાયરસના વધતાં કેસને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે દાવો કર્યો કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકડાઉન રણનીતિનો લાભ ઉઠાવી ન શકાયું તેમણે અંદાજો લગાવ્યો છે કે ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સપ્ટેમ્બર મહિનામાં 65 લાખ થઇ જશે.
ભારત એકમાત્ર દેશ છે જ્યાં લોકડાઉનનો ફાયદો નથી મળ્યો : ચિદમ્બરમ
PM જવાબ આપે કે ભારતમાં લોકડાઉન કેમ ફેલ થયું : ચિદમ્બરમ
સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
નોંધનીય છે કે આજે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ 40 લાખની પાર થઇ ગયા છે જ્યારે 31,07,227 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી. આમ સતત વધતા જતા કોરોનાના ગ્રાફ પર ચિદમ્બરમે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા.
मैंने भविष्यवाणी की थी कि 30 सितंबर तक संक्रमितों की संख्या 55 लाख तक पहुंच जाएगी, मैं गलत हूं। भारत 20 सितंबर तक उस संख्या तक पहुंच जाएगा।
ચિદમ્બરમે કહ્યું કે મેં 30 સપ્ટેમ્બર સુધી કોરોના કેસની સંખ્યા માટે 55 લાખનું અનુમાન લગાવ્યું હતું. ભારતમાં 20 સપ્ટેમ્બર સુધી તે આંકડા પહોંચી જશે અને મહિનાના અંત સુધી તો 65 લાખે આંકડો જશે.
PM મોદી પાસે માંગ્યો જવાબ
તેમણે આ મુદ્દે સરકારની નિષ્ફળતાઓ ગણાવતા કહ્યું કે ભારત એકમાત્ર દેશ છે જ્યાં લોકડાઉનનો ફાયદો નથી મળ્યો. વડાપ્રધાન મોદીએ 21 દિવસમાં કોરોના વાયરસને હરાવવાનો વાયદો કર્યો છે અને તેમણે જવાબ આપવો જોઈએ કે ભારતમાં લોકડાઉન કેમ ફેલ થયું જ્યારે બીજા દેશ તો સફળ દેખાઈ રહ્યા છે.
विश्व का एकमात्र देश जो लॉकडाउन रणनीति का लाभ नहीं उठा रहा है वह भारत प्रतीत होता है।
पीएम मोदी ने वादा किया था कि हम 21 दिनों में कोरोनोवायरस को हरा देंगे, यह बताना चाहिए कि जब अन्य देश सफल हुए हैं तो भारत क्यों असफल रहा।
અન્ય એક ટ્વિટમાં ચિદમ્બરમે અર્થવ્યવસ્થા મુદ્દે નાણા મંત્રાલય પર નિશાન તાકીને કહ્યું કે તેમની પાસે વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલ અભૂતપૂર્વ નકારાતામ્ક વૃદ્ધિનો કોઈ જવાબ જ નથી. પણ ભારતનાં લોકોને ભ્રમિત કરવા માટે ફરીથી વિકાસની રફતાર પકડવાની જૂની રમત જ સામે આવી છે.