રસીકરણના રેકોર્ડ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ છે. ચિદમ્બરમે કહ્યું રેકોર્ડ બનાવવા માટે રસીની જમાખોરી કરાઈ હતી.
રસીકરણના રેકોર્ડ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
ચિદમ્બરમે કહ્યું રેકોર્ડ બનાવવા માટે રસીની જમાખોરી કરાઈ હતી
ચિદમ્બરમે નિશાન સાધ્યુ, કહ્યું મોદી છે તો મુમકિન છે
21 જૂનને રેકોર્ડ 88 લાખથી વધારે લોકોના રસીકરણનો નોંધાયો
દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે 21 જૂનને રેકોર્ડ 88 લાખથી વધારે લોકોના રસીકરણનો નોંધાયો છે. રિકોર્ડ રસીકરણ પર કોંગ્રેસ પાર્ટીના સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે મંગળવારે દાવો કર્યો છે કે રવિવારે રસી જમા કરવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમાં મંગળવારે દાવો કર્યો કે રવિવારે રસીને જમા કરવામાં આવી હતી અને સોમવારે રસીકરણના વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યું. પરંતુ આગલા દિવસે ફરી જુની સ્થિતી રહી.
रविवार को जमाखोरी, सोमवार को टीका लगाएं और मंगलवार को लंगड़ाकर वापस लौट जाएं। "एक दिन" के टीकाकरण के विश्व "रिकॉर्ड" के पीछे यही रहस्य है।
मुझे यकीन है कि इस "करतब" को गिनीज बुक ऑफ रिकॉर्ड्स में जगह मिलेगी!
પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમે કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યુ કે આને લઈને મોદી સરકારે ઔષધિના વિસ્તારમાં નોબેલ પુરસ્કાર મળી શકે છે. પૂર્વ નાણા મંત્રીએ ટ્વીટ કરી કે રવિવારે જમા કરો, સોમવારે રસીકરણ કરો અને ફરી મંગળવારે તે જ સ્થિતીમાં પાછા આવો. એક દિવસમાં રસીકરણનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવા પાછળનું રાજ છે.
ચિદમ્બરમે નિશાન સાધ્યુ, કહ્યું મોદી છે તો મુમકિન છે
ચિદમ્બરમે નિશાન સાધતા કહ્યુ કે મને ભરોસો છે કે આ પગલાને ગિનિજ બુકમાં સ્થાન મળશે. કોણ જાણે મોદી સરકારને ઔષધિનો નોબેલ પુરસ્કાર મળી જાય. મોદી છે તો મુમકિન છે ને હવે મોદી છે તો મિરેકલ છે વાંચવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યુ કે ભારતમાં 21જૂને એક દિવસમાં કોરોનાની રસીના 88.09 લાખ રસી લગાવવામાં આવી છે. ઐતિહાસિક ઉપલબ્ધિ મેળવી છે અને લગભગ 64 ડોઝ ગ્રામીણ વિસ્તારમાં આપવામાં આવ્યા છે.