ઋષિ સુનકને લઈ ભારતમાં રાજકારણ ગરમાયું; ઋષિ સુનક પર કોમેન્ટ કરીને ચિદમ્બરમ અને થરુરે ઉભો કર્યો વિવાદ, ભાજપે કર્યો તીખા પ્રહાર
ઋષિ સુનકને લઈ ભારતમાં રાજકારણ ગરમાયું
થરૂર, ચિદમ્બરમના નિવેદન બાદ ચૌથાઈવાલે કરી ટ્વીટ
કોંગ્રસ પર રવિશંકર પ્રસાદે કર્યા તીખા પ્રહાર
ભારતીય મુળના ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે વિપક્ષી નેતાઓના કેટલાક નિવેદનોને લઈ વિવાદ સર્જાયો છે. જેમાં વિભાજનકારી રાજનીતિથી જોડાયેલા વિપક્ષી નેતાઓના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ નારાજગી વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે તમે રાષ્ટ્રપતિ રૂપમાં અબ્દુલ કલામ અને પ્રધાનમંત્રીના રૂપમાં મનમોહન સિંહનો કાર્યકાળ યાદ કરો. ચીદમ્બર અને થરૂર સહિક કેટલાક વિપક્ષી નેતાઓ સોમવારે સુનકના પ્રધાનમંત્રી બનવા ઉમ્મીદ બતાવી હતી. ભાજપના નેતાઓ સુનકને એક સક્ષમ નેતા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઋષિ સુનકની આ સફળતાની સરાહના કરવી જોઈએ જ્યા કેટલાક વિપક્ષી નેતા રાજનીતિનો લાભ ઉઠાવવે છે
First Kamala Harris, now Rishi Sunak
The people of the U.S. and the U.K have embraced the non-majority citizens of their countries and elected them to high office in government
I think there is a lesson to learned by India and the parties that practise majoritarianism
વિજય ચૌથાઈવાલેએ ટ્વિટ કરી
ભાજપે વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધી ઈટલી મુળનો હોવાથી પ્રધાનમંત્રી માટે તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. તે વિરોધની તુલના તમણે ભારતીય મુળ સુનકના બ્રિટનની સત્તાધારી પાર્ટીના નેતા ગણાવાથી પ્રતિકાર કર્યો છે. બીજેપીના વિદેશ બાબતોના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ ટ્વિટર યુઝરના સવાલોના જવાબ આપતા કહ્યું કે, ઈટલીમાં જન્મેલી સોનિયા જેણે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પછી વર્ષો સુધી ભારતીય નાગરિકતા લીધી ન હતી અને યુકેમાં જન્મેલા ભારતીય મૂળના ઋષિ સુનકની સરખામણી કરે છે.
રવિશંકર પ્રસાદના પ્રહાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે એક ટ્વિટ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ અને શશિ થરૂર પર વળતો પ્રહાર કરતા કહ્યું, ભારતીય મૂળના સક્ષમ નેતા ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બનવાના છે, આ અસાધારણ સફળતા માટે આપણે સૌએ તેમની પ્રશંસા કરવી જોઈએ. પરંતું દુઃખની વાત એ છે કે કેટલાક ભારતીય રાજકારણીઓ કમનસીબે આ તકનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરે કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રસાદે કહ્યું કે સુનકના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ કેટલાક નેતાઓ વિરુદ્ધ કરવા સક્રિય થઈ ગયા છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે એપીજે અબ્દુલ કલામના અસાધારણ કાર્યકાળ અને વડાપ્રધાન તરીકે મનમોહન સિંહના 10 વર્ષના કાર્યકાળની યાદ અપાવવા માંગુ છું. તેમણે કહ્યું કે આજે એક પ્રતિષ્ઠિત આદિવાસી નેતા દેશના રાષ્ટ્રપતિ છે.
Some leaders hv become hyper active against majoritarianism after election of Rishi Sunak as PM of UK. Gently reminding them about the extraordinary Presidency of APJ Abdul Kalam, Manmohan Singh as PM for 10years. A distinguished tribal leader Droupadi Murmu is now our President.
Proud moment that UK will have its first Indian origin PM. While all of India rightly celebrates, it would serve us well to remember that while UK has accepted an ethnic minority member as its PM, we are still shackled by divisive & discriminatory laws like NRC & CAA.
મહેબૂબાનું પ્રહાર
બીજી તરફ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ સુનકના બ્રિટનના વડા પ્રધાન બનવાને ગૌરવની ક્ષણ ગણાવતાં કહ્યું હતું કે બ્રિટને એક વંશીય લઘુમતીનો તેમના વડાપ્રધાન તરીકે સ્વીકાર કર્યો છે, પરંતુ અમે હવે NRC અને CAA જેવા વિભાજનકારી અને ભેદભાવપૂર્ણ કાયદાઓથી પણ બંધાયેલા છે.
મહેબૂબા મુફ્તીને પૂછાયા સવાલ
મુફ્તીના જવાબનો ઉલ્લેખ કરતા રવિશંકર પ્રસાદે પૂછ્યું કે શું તેઓ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે કોઈ લઘુમતીને સ્વીકારશે. તેમણે કહ્યું, કૃપા કરીને સ્પષ્ટ જવાબ આપો.
Saw Mahbooba Mufti’s tweet commenting on the rights of minorities in India after the election of Rishi Sunak as PM of UK. @MehboobaMufti Ji! Will you accept a minority in Jammu and Kashmir as Chief Minister of the state? Please be frank enough to reply.
અમિત માલવિયાની પ્રતિક્રિયા
અમિત માલવિયાએ કહ્યું કે ભારતમાં ત્રણ મુસ્લિમ અને એક શીખ રાષ્ટ્રપતિ બન્યા જ્યારે એક શીખ 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહ્યા તેમણે કહ્યું કે અહીં અનેક લઘુમતીઓ ન્યાયિક અને સશસ્ત્ર દળોમાં ઉચ્ચ હોદ્દા પર છે. તેમણે કહ્યું કે ભારતને અન્ય કોઈ દેશ પાસેથી વિવિધતા અને સર્વસમાવેશકતા વિશે શીખવાની જરૂર નથી પરંતુ મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે હિન્દુને સમર્થન આપવું જોઈએ.
India, which has had three Muslim and one Sikh President, a Sikh PM for 10 years, minorities in top judicial positions and even the armed forces, need not learn about diversity and inclusivity from any other country.