ધારાસભ્ય છોટુ વસાવાનો CM રૂપાણીને પત્ર લખ્યો છે. છોટુ વસાવાએ સ્કોલરશીપમાં ગેરરીતિના આક્ષેપ કર્યો છે.
ધારાસભ્ય છોટુ વસાવાએ CM રૂપાણીને લખ્યો પત્ર
છોટુ વસાવાએ સ્કોલરશીપમાં ગેરરીતિના કર્યાનો કર્યો આક્ષેપ
સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમ વર્ગની સ્કોલરશીપ મુદ્દે કર્યો આક્ષેપ
MLA છોટુ વસાવાનો CM રૂપાણીને પત્ર લખ્યો છે. છોટુ વસાવાએ સ્કોલરશીપમાં ગેરરીતિના આક્ષેપ કર્યો છે. સ્વનિર્ભર નર્સિંગ-SI તાલીમવર્ગની સ્કોલરશીપને લઇ આક્ષેપ કર્યા છે. તાલીમ વિના જ સ્કોલરશીપ અપાતી હોવાનો પણ વસાવાએ આરોપ કર્યો છે. સ્કોલરશીપ આદિજાતિ વિભાગની ગુજરાત પેટર્ન હેઠળ અપાય છે. MLA છોટુ વસાવાએ રાજ્યપાલને પણ પત્ર લખ્યો છે.
છોટુ વસાવા આદિવાસી નેતા છે અને તે તેમના પ્રશ્નો કોઈપણ જાતના ડર વગર રજૂ કરવા મામલે પંકાયેલા છે. તેમણે અગાઉ પણ પોતાની જાનને ખતરો હોવાને કારણે સુરક્ષા માંગતો પત્ર લખ્યો હતો. આ સિવાય પણ અવાર-નવાર તેઓ પોતાના પ્રશ્નોને લઈને સરકારનું ધ્યાન દોરતા હોય છે. રાજ્યસભાની ચૂંટણીમાં તેમણે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યુ હતુ. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ અમરસિંહ વસાવા અને ડેડિયાપાડના ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ બે ગુજરાતમાં BTPના ધારાસભ્યો છે.