કોંગ્રેસ વધુને વધુ રાજકીય પક્કડ ગુમાવી રહ્યું હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. ગઇકાલે રાજસ્થાનમાં BTPના 2 ધારાસભ્યોએ ગેહલોત સરકાર સાથે છેડો ફાડ્યા બાદ આજે ગુજરાત કોંગ્રેસ સાથે પણ BTPએ છેડો ફાડ્યો છે.
રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ BTPએ ફાડ્યો છેડો
BTPના છોટુ વસાવાએ ટ્વિટ દ્વારા કરી જાહેરાત
ભરૂચ અને નર્મદામાં કોંગ્રેસ સાથે ગઠબંધન પૂર્ણ: વસાવા
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ BTPએ કોંગ્રેસ પક્ષ સાથેથી પોતાનો છેડો ફાડ્યો છે. આ જાણાકારી પાર્ટીના પીઢ નેતા છોટુ વસાવાએ ટ્વિટ દ્વારા આપી હતી. છોટુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પંચાયતમાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન પૂર્ણ કરીએ છીએ.
ગઇકાલે રાજસ્થાનમાંથી BTPએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો હતો
આપને જણાવી દઇએ કે, ગઇકાલે રાજસ્થાનની ગેહલોત સરકારને BTPના 2 ધારાસભ્યોએ આપેલો ટેકો પરત ખેંચ્યો હતો અને જો કે, આ ધારસભ્યોએ સમર્થન પરત ખેંચ્યું હોવા છતાં ગેહલોત સરકાર પર કોઇપણ પ્રકારનું સંકટ આવશે નહીં કારણ કે, કોંગ્રેસ પાસે બહુમતિ છે.
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી પંચાયત સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસે ઘણી બેઠકો ગુમાવી છે. બીટીપીના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ચૂંટણીમાં તેમનું સમર્થન નથી કર્યું અને તેમની સાથે દગો કર્યો છે. પંચાયતોની ચૂંટણીમાં ભાજપે 1833 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસે 1713 બેઠકો જીતી હતી. આ ઉપરાંત જિલ્લા પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસની સરખામણીએ ભાજપનું પ્રદર્શન વધુ સારું હતું.
બીટીપી નેક છે. એટલા માટે કોંગ્રેસ ભાજપ એક છે
બીટીપીના સંસ્થાપક છોટાભાઈ વસાવાએ ટ્વીટ કરી રહ્યું કે બીટીપી નેક છે. એટલા માટે કોંગ્રેસ ભાજપ એક છે. પીએમ મોદી અને સીએમ ગહેલોત પર પ્રહાર કરતા કહ્યું કે નવા સંગઠન માટે અભિનંદન. ઉલ્લેખનીય છે કે બીટીપીના રાજસ્થાનના એક ડુંગરપુરથી જ બે ધારાસભ્યો છે જે રાજ્યમાં ગહેલોત સરકારને સમર્થન આપે છે.