છોટા ઉદેપુર: આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે છોટાઉદેપુર લોકસભાની બેઠક પર ભાજપમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે.
બે દિવસ પહેલા પ્રદેશ ભાજપ નિરીક્ષકોની ચીમ દ્વારા સેન્સ લઈને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ દરમિયાન 16 જેટલા કાર્યકરોએ ટિકિટની માગ કરી છે. તો બીજી તરફ 8 જેટલા સક્ષમ કાર્યકરોએ હાલના સાંસદ રામસિંગ રાઠવાને ટિકિટ ન મળે તે માટે સીએમ રૂપાણીને રજૂઆત કરી છે. જિલ્લા ભાજપ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ પ્રદેશ ભાજપ મંત્રી સહિતના નેતાઓએ મળીને સીએમ રૂપાણીને રજૂઆત કરી છે.
આપને જણાવી દઇએ કે, છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આ જિલ્લામાં આરોગ્ય, શિક્ષણ અને ખેડૂતો માટે સિંચાઇના પાણી માટેની ખાસ સમસ્યા છે. જે આરોપ ભાજપના કાર્યકરો લગાવી રહયા છે.
આ સાથે જ જિલ્લા ભાજપમા આંતરિક કલહ તો છે જ. ત્યારે હવે ચૂંટણી સમયે છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદારોએ એ સાંસદ સામેં બાયો ચડાવતા ટિકિટ ફાળવણીમાં ભાજપ માટે મુશ્કેલી ઉભી થઇ છે.