રાજ્યમાં સિવિલ હોસ્પિટલોમાં બાળકોના મોતના મામલા એક બાદ એક સામે આવી રહ્યાં છે. જેને લઇ સરકારી હોસ્પિટલની કથળેલી હાલતને લઇ સવાલો ઉઠી રહ્યાં છે. ત્યારે હવે છેવાડાના આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લા છોટા ઉદેપુરમાં લોકોને પુરતી આરોગ્ય સેવા નથી મળી રહી.
છેવાડાના વિસ્તારમાં કેમ નથી પૂરતી સુવિધા?
હોસ્પિટલમાં નથી પૂરતા ડોક્ટર
159ની જરૂર સામે માત્ર 58 ડોક્ટર
રાજ્યના છેવાડના વિસ્તારમાં કેમ નથી પૂરતી સુવિધા ? આદિવાસી વિસ્તારના છોટા ઉદેપુરમાં ક્યારે પૂરતી તબીબી સેવા પહોંચશે? છોટા ઉદેપુરની હોસ્પિટલમાં કેમ પૂરતો તબીબી સ્ટાફ નથી? હોસ્પિટલમાં બાળકો અને મહિલા ડોકટરની સુવિધા પણ નથી ? આમ અનેક સવાલોના તંત્ર પાસે કોઇ જવાબ નથી ત્યારે આદિવાસી વિસ્તારમાં અપૂરતી વ્યવસ્થાનો ભોગ આમ જનતા બની રહી છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જ્યાં તબીબી સ્ટાફની ઓછો હોવાનું સામે આવ્યું રહ્યું છે. ત્યારે છોટાઉદેપુરમાં જનરલ હોસ્પિટલ, 12 સીએચસી, અને 50 પીએચસી સેન્ટર છે અને તેમાં 159 ડોક્ટરોની જગ્યાં છે પરંતુ હાલ માત્ર 58 ડોક્ટર જ ફરજ બજાવી રહ્યાં છે.
આમ તબીબી સ્ટાફ ઓછો હોવાના કારણે દર્દીઓને યોગ્ય સારવાર મળી રહી નથી. છોટાઉદેપુરમાં સિકલસેલના દર્દીઓનું પ્રમાણ પણ વધ્યું છે તો અનેક બાળકો કુપોષણના શિકાર પણ બન્યા છે.
છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં બાળકોના નિષ્ણાંત ડોક્ટર માત્ર એક જ છે જે માત્ર 3 કલાક જ સેવા આપે છે. જ્યારે મહિલાઓના નિષ્ણાંત તબીબ માત્ર બે છે. જેને લઇ લોકોને પુરતી સારવાર નથી મળી શકતી.