ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢમાં પાર્ટીને મળેલી બહુમતનો સંપૂર્ણ શ્રેય પાર્ટીનાં કાર્યકર્તાઓને આપી રહેલ છે. પાર્ટી કાર્યકર્તાઓને 'મહત્વપૂર્ણ' થવાનો અહેસાસ અપાવવા માટે રાહુલ ગાંધીએ એક ઉત્તમ રીત શોધી નીકાળી છે. જેથી તેઓનો ફોન પ્રદેશનાં એક-એક કાર્યકર્તાની પાસે પહોંચી રહેલ છે કે જેનાં દ્વારા તે પસંદ હોય તેવાં મુખ્યમંત્રીનું નામ પૂછી રહેલ છે.
તમને જણાવી દઇએ કે પ્રદેશનાં અનેક નામચીન ચહેરા મુખ્યમંત્રી પદનાં પ્રબળ દાવેદાર છે. જેમાં વર્તમાન પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બઘેલ ટીએસ સિંહદેવ તામ્રધ્વજ સાહુ અને ડૉ. ચરણદાસ મહંતનું નામ અવ્વલ છે.
ટ્રીન-ટ્રીન.. જાણો કોણ બનશે મુખ્યમંત્રી?
છત્તીસગઢમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા જ રાહુલ ગાંધીનો ફોન તેઓનાં કાર્યકર્તાની પાસે પહોંચવા લાગ્યાં છે. જેમાં તે પોતાનાં કાર્યકર્તાઓ પાસેથી તેઓની પંસદનાં મુખ્યમંત્રીનું નામ પૂછી રહ્યાં છે.
આ કસ્ટમાઇઝ મેસેજમાં રાહુલ ગાંધી ફોન પર પાર્ટી કાર્યકર્તાઓને શુભકામના પાઠવતા સંભળાવતા જોઇ રહ્યાં છે. આ સાથે જ તેઓને પૂછી રહેલ છે કે તેઓની નજરમાં પ્રદેશનાં આગામી મુખ્યમંત્રી કોને થવું જોઇએ તે પોતાની પસંદનું નામ જણાવો. કાર્યકર્તાઓનાં બીપ બાદ પોતાની પસંદનાં ઉમેદવારનું નામ જણાવવાનું છે.
રાહુલનાં ફોન આવવાંની પુષ્ટિ પ્રદેશ પ્રવક્તા શૈલેષ નિતિન ત્રિવેદીએ કરતા કહ્યું કે 'હાં રાહુલ ગાંધીનો ફોન કાર્યકર્તાઓને પહોંચી રહેલ છે અને તેઓને મુખ્યમંત્રીનાં નામને વિશે જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આવું કોંગ્રેસ પાર્ટી કેમ કરી રહી છેનાં જવાબમાં તેઓએ કહ્યું કે આ પાર્ટીનો આંતરિક મામલો છે પરંતુ હું એ જણાવવા ઇચ્છું છું કે અમારી પાર્ટી માટે કાર્યકર્તા મુખ્ય છે. મુખ્યમંત્રીની પસંદગીમાં તેઓની ભૂમિકા ખૂબ મહત્વની હોવી જોઇએ.