છત્તીસગઢઃ એક એવું રાજ્ય કે જ્યાં એક્ઝિટ પોલ રમણ સિંહની વાપસી નિર્ણાયક રીતે દેખાડી રહ્યાં હતાં અને તે રાજ્ય પણ કે જ્યાં કોંગ્રેસ સૌથી ધમાકેદાર રીતે વાપસી કરી છે. રમણ સિંહનું ચોથી વાર મુખ્યમંત્રી બનવાનું સપનું ટૂટી ગયું. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે કોંગ્રેસ તરફથી સીએમની ખુરશી પર કોણ બેસશે. દાવેદાર તો અનેક છે પરંતુ કેટલાંક ચહેરાઓનાં નામ સામે આવી રહ્યાં છે.
ભૂપેશ બઘેલઃ
બઘેલ હાલમાં પ્રદેશ અધ્યક્ષ છે. હવે જીત તો દમદાર છે તો કાર્યકર્તાઓ અને નેતાઓમાં દમ ફુંકવાનું કામ કરનારાઓને ઇનામની રાહ પણ હશે. એ પણ યાદ રાખવાનું રહેશે કે સીડી કાંડમાં જેલ જવા છતાં તેઓ લડતા રહ્યાં ભાજપ પર હુમલાવર બન્યાં રહ્યાં. બઘેલને ઓબીસીનાં મોટા નેતા માનવામાં આવે છે. છત્તીસગઢમાં ઓબીસીની આબાદી અંદાજે 36 ટકા છે. તે અવિભાજિત મધ્યપ્રદેશમાં દિગ્વિજય સરકારમાં મંત્રી પણ રહી ચૂકેલ છે.
ટીએસ સિંહદેવઃ
અંબિકાપુર સીટથી મેદાનમાં ઉતરેલ કોંગ્રેસનાં મોટા નેતા ટીએસ સિંહદેવ પણ સીએમની ખુરશીનાં દાવેદાર જણાવવામાં આવી રહેલ છે. 2013થી તે નેતા વિપક્ષની ભૂમિકા નિભાવી રહેલ છે. આ વખતે તેઓ ઘોષણાપત્ર સમિતિનાં અધ્યક્ષ હતાં. અધ્યક્ષ રહેતા જે રીતે તેઓ સમાજનાં તમામ લોકો સુધી પહોંચ્યાં અને તેઓની રાયશુમારી કરીને ઘોષણાપત્ર તૈયાર કર્યો. તેની વધારે પ્રશંસા થઇ. તે રાહુલ ગાંધીનાં નજીકનાં માનવામાં આવી રહેલ છે.
તામ્રધ્વજ સાહુઃ
કોંગ્રેસની ઓબીસી વિંગનાં અધ્યક્ષ હોવાંને નાતે વર્ગ વિશેષમાં તેઓની ખૂબ પહોંચ છે. મોદી લહેરની વચ્ચે 2014માં તેઓ છત્તીસગઢથી કોંગ્રેસનાં એક માત્ર ચહેરા હતાં કે જે ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં. આ વખતે ટિકિટની વહેંચણી બાદ અસંતોષ અને નારાજગીને રોકવામાં તેઓની ખૂબ મોટી ભૂમિકા છે.
ડૉ. ચરણદાસ મહંતઃ
મહંત સક્તી વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી લડી રહ્યાં હતાં. તે મધ્યપ્રદેશ સરકારમાં ગૃહમંત્રી અને યૂપીએ-2 રાજ્યમંત્રી રહી ચૂકેલ છે. પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પણ તેઓને મુખ્યમંત્રીનાં પદનાં દાવેદાર જાહેર કર્યા હતાં.