હાલમાં જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં છત્તીસગઢના રાયગઢ જિલ્લાની કોર્ટે ભગવાન શંકર સહિત 10 લોકોને નોટિસ ફટકારી હાજર થવા આદેશ આપ્યા છે.
ગજબનો કિસ્સો સામે આવ્યો
ભગવાનને કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યા
હાજર નહીં રહે તો 10 હજારનો દંડ લાગશે
આજકાલ કેટલાય ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે. હાલમાં જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં છત્તીસગઢના રાયગઢ જિલ્લાની કોર્ટે ભગવાન શંકર સહિત 10 લોકોને નોટિસ ફટકારી હાજર થવા આદેશ આપ્યા છે. આ મામલામાં મળેલી જાણકારી અનુસાર મામલતદારે નોટિસમાં ભગવાન શંકર સહિત તમામને ચેતવણી પણ આપી હતી. આટલુ જનહીં પણ સુનાવણીમાં હાજર ન રહેતા 10 હજારનો દંડ અને કબ્જામાંથી હટાવાનો પણ આદેશ આપ્યો છે. આપ સૌનો જણાવી દઈએ કે, ભગવાન ભોલેનાથ પર ગેરકાયદેસર રીતે જમીન પર કબ્જો કરવાનો આરોપ છે. તો વળી બીજી બાજૂ ભગવાન શંકરને નોટિસ આપવાનો પણ આ બીજો કિસ્સો છે.
ભગવાન શિવ સહિત 10 લોકોને નોટિસ
હકીકતમાં જોઈએ તો, આ અગાઉ નવેમ્બર 2021માં જાંજગીર ચાંપા જિલ્લાના સિંચાઈ વિભાગે ભોલેનાથને નોટિસ આપી અને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, રાયગઢ શહેરમાં વોર્ડ નંબર 25 કૌહકુંડામાં એક શિવ મંજિર છે. હકીકતમાં જોઈએ તો, સુધા રાજવાડેએ બિલાસપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં શિવ મંદિર સહિત 16 લોકો પર સરકારી જમીન પર કબ્જો કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી પણ થઈ હતી. તો વળી કોર્ટે રાજ્ય સરાકર અને મામલતદારને તેના પર તપાસ કરવાના આદેશ પણ આપ્યા હતા. તેની સાથે જ કોર્ટના આદેશનું પાલન કરતા મામલતદાર કચેરીએ ભગવાન સહિત 10 લોકોને નોટિસ આપી હતી. કહેવાય છે કે, કબ્જાધારીઓમાં છઠ્ઠા નંબર પર ભગવાન શિવનું પણ નામ જોડાયેલું છે. આટલુ જ નહીં પણ મંદિર ટ્રસ્ટી, પૂજારીઓને સંબોધિત કરવામાં આવ્યા ન થી. પણ ડાયરેક્ટ ભગવાન શિવને જ નોટિસ આપવામાં આવી છે.
હાઈકોર્ટના આદેશ પર ટીડીઓ કચેરીએ એક્શન લીધી
પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, ભગવાન શંકરને મોકલવામાં આવેલી નોટિસમાં ટીડીઓ કોર્ટે ચેતવણી આપી છે કે, છત્તીસગઢ ભૂ રાજસ્વ સંહિતાની કલમ અંતર્ગત આપનું આ કામ ગુનાની શ્રેણીમાં આવે છે. આપને 10 રૂપિયાનો દંડ અથવા તો, કબ્જાની જમીનમાંથી હટાવાનો આદેશ આપી શકાય છે. આ સાથે જ નોટિસ જાહેર કરનારા ટીડીઓ વિક્રાંત સિંહ ઠાકુરનું કહેવુ છે કે, હાઈકોર્ટના આદેશ અનુસાર આ કાર્યવાહી ચલાવામાં આવી છે. કારણ કે મામલો સરકારી જમીન હડપવાનો છે. હાઈકોર્ટમાં દાખલ અરજીમાં 16 લોકો પર સરકારી જમીન પર કબ્જો કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. પણ જગ્યા પર તપાસ કરતા 10 નામ સામે આવ્યા છે. જેમાં ભગવાન શિવ પણ સામેલ છે. આ તમામને નોટિસ આપીને 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.