બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chhattisgarh naxal attack know why they attack between february and may

જાણવા જેવું / શા માટે નક્સલીઓ ફેબ્રુ.થી મે મહિના વચ્ચે જ કરે છે હુમલો? જાણો શું હોય છે આ TCOC પ્લાન!

Arohi

Last Updated: 02:25 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh Naxal Attack: દંતેવાડામાં નક્સલિયોએ સુરક્ષાકર્મીઓના કાફલા પર હુમલો કર્યો છે. જેમાં 10 જવાનો શહિદ થયા છે. ફેબ્રુઆરીથી મે મહિનાની વચ્ચે જ નકસ્લી હુમલાને અંજામ કેમ આપવામાં આવે છે? જાણો શું છે TCOC પ્લાન?

  • દંતેવાડામાં નક્સલિયોએ કર્યો હુમલો 
  • હુમલામાં 10 જવાનો શહિદ 
  • ફેબ્રુઆરીથી મે મહિનામાં જ કેમ થાય છે નકસ્લી હુમલા? 

એક બાજુ નક્સલી હુમલાથી છત્તીસગઢમાં ભયનો માહોલ છે. દંતેવાડામાં નક્સલિયોએ સુરક્ષાકર્મીઓના કાફલામાં શામેલ એક ગાડીને ધમાકાથી ઉડાવી દીધા. આ હુમલામાં 10 પોલીસ જવાન શહિદ થઈ ગયા. ત્યાં જ ડ્રાઈવરનું પણ મોત થયું છે. દંતેવાડા નક્સલ પ્રભાવિત વિસ્તર છે. 

જે જિલ્લા રિઝર્વ ગાર્ડની ટુકડી પર હુમલો થયો તે નક્સલિઓ સામે લડવામાં માહિર છે. મોટી વાત એ છે કે આ ગ્રુપમાં આત્મસમર્પણ કરી ચુકેલા નકસ્લી પણ શામેલ છે. દંતેવાડા હુમલા બાદ એક વખત ફરી સવાલ ઉભો થઈ રહ્યો છે કે નકસ્લી આખરે ફેબ્રુઆરીથી મેની વચ્ચે જ કેમ હુમલો કરે છે. 

બે વર્ષમાં આ સૌથી મોટો હુમલો 
નક્સલી પોતાની ધાક જમાવવા માટે સમય સમય પર આવા હુમલાને અંજામ આપે છે બે વર્ષોની અંદર સુરક્ષા બળો પર નક્સલિઓનો આ સૌથી ભીષણ હુમલો છે. આ પહેલા વર્ષ 2021માં બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓએ સુરક્ષાબળો પર ઘાત લગાવીને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 22 જવાન શહિદ થઈ ગયા છે. ત્યાં જ ઘણા ગંભીર રૂપથી ઘાયલ પણ થયા છે. 

ફેબ્રુઆરીથી મે મહિનાની વચ્ચે હુમલો કેમ કરે છે નક્સલી? 
નક્સલવાદીની જાણકારી રાખવા નિષ્ણાંતોનું કહેવું છે કે ફેબ્રુઆરીથી મે મહિનાની વચ્ચે નક્સલીઓની તરફથી ટેક્ટિકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પેન ચલાવવામાં આવે છે. આ કેમ્પેઈન વખતે નક્સલી એક્ટિવ થઈ જાય છે અને પોતાની સંપૂર્ણ તાકાતની સાથે સુરક્ષાબો પર હુમલો કરે છે. 

જ્યારે લાગે છે કે નક્સલવાદ કમજોર થઈ રહ્યો છે. ત્યારે નકસ્લી કોઈ એવો મોટો હુમલો કરે છે જેનાથી આખો દેશ ડરી જાય છે. ટીસીઓસીના હેઠશ નક્સલી હુમલામાં ગયા 10 વર્ષોમાં 260થી વધારે જવાન શહીદ થઈ ચુક્યા છે. 

શું છે નક્સલીયોનું ટેક્ટિકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પેન? 
નક્સલીયો ફેબ્રુઆરીથી મે મહિનાની વચ્ચે દંતેવાડા સહિત આખા બસ્તર ક્ષેત્રમાં અટેકિંગ મોડમાં આવી જાય છે. તે દહશત ફેલાવીને સુરક્ષાબળો અને સરકારોને સંદેશ આપે છે.

આ સમયે નક્સલીઓને મોટી વિંગ પીપુલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી એક્ટિવ થઈ જાય છે અને તેનાથી યુવકો ટ્રેનિંગ લઈને નવા યુવકોને ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગની સાથે સાથે તે સુરક્ષાબળો પર હુમલો કરી શકે છે. આવી જ રીતે નક્સલિઓનું ટેક્ટિકલ કાઉન્ટર ઓફેંસિવ કહેવાય છે. આ ચાર મહિના નક્સલિયોની ભાષામાં ખુની મહિના હોય છે. 

TCOCના હેઠળ શું શું કરે છે નક્સલી? 

  • નવા યુવકોને સંગઠન સાથે જોડવું 
  • યુવકોને સિખવાડવું કે હુમલો ક્યારે અને કઈ રીતે કરવો છે 
  • સુરક્ષાબળોને કઈ રીતે એમ્બુશમાં ફસાવીને મારવામાં આવે
  • હુમલો કરીને હથિયાર કઈ રીતે લૂંટવા છે
  • ડરાવિ ધમકાવીને બિઝનેસમેન અને અધિકારીઓને કઈ રીતે ફંડ ભોગુ કરવું છે. 

જણાવી દઈએ કે આ ચારે મહિનાની અંદર કરવામાં આવેલા હુમલાને નક્સલી ગુરિલ્લા વોર કહેવાય છે. નક્સલી આ ચાર મહિનાને હુમલો કરવા માટે એટલા માટે પસંદ કરે છે કારણ કે આ સમયે ગરમી વધી જાય છે અને સુરક્ષાકર્મી વધારે થાક અનુભવે છે. સાથે જ પાનખરના કારણે જંગલોમાં ઝાડના પાન ખરેલા હોય છે જેનાથી નક્સલિઓને દૂર સુધી જોવામાં સરળતા રહે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Naxal attack chhattisgarh છત્તીસગઢ નક્સલી હુમલો chhattisgarh naxal attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ