અમિત શાહે કહ્યું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. લડાઇને અંજામ સુધી લઇ જઇશું. શહીદોના પરિવાર પ્રતિ સંવેદના છે. શહીદ જવાનોને હું શ્રદ્ધાંજલિ આપું છું. જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે.અમિત શાહે આ ઘટનાની ગંભીરતાથી લેતા રવિવાર સવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ફોન કરીને બીજાપુરમાં થયેલ નક્સલી ઘટના સંબંધિત વિસ્તૃત ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી બઘેલે કેન્દ્રીય ગૃહમંત્રીને બીજાપુરમાં રાજ્ય અને કેન્દ્રના સુરક્ષા જવાનો અને નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણની સ્થિતિથી અવગત કરાવ્યા હતા.
શું બની હતી ઘટના ?
છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયોએ ભારતીય સેના પર મોટો હુમલો કર્યો હતો. જેમાં કુલ 22 જવાન શહીદ થયા છે. હજુ પણ 1 જવાન લાપતા છે.છત્તીસગઢના બીજાપુર જિલ્લાના તરરેમમાં થયેલા નક્સલી હુમલામાં વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. DG DM અવસ્થીએ આ વાતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં કુલ 22 મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 1 જવાન લાપતા છે. કુલ 31 જવાન ઇજાગ્રસ્ત છે. આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે.
શનિવારે આ હુમલામાં નક્સલીઓએ રૉકેટ લૉન્ચર અને LMGનો ઉપયોગ કર્યો હતો. સેનાએ નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ ઑપરેશન ચલાવ્યું હતું. નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપુલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વન(PLGA 1)માંથી એક હિડમાના ગઢમાં હતો.
CRPF અને છત્તીસગઢ પોલીસને માહિતી હતી કે નક્સલીઓના મોટા કમાન્ડર હિડમા આ હુમલાથી 1 કિલોમીટર દૂર પોવર્તી ગામમાં છે જ્યારબાદ CRPF અને છત્તીસગઢ પોલીસની ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઇન્ટ ઑપરેશન ચલાવ્યું હતું.
વીર શહીદોના બલિદાનને ક્યારે નહીં ભૂલાવી શકાયઃ પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંદ્રી મોદીએ શનિવારે છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સેનાના જવાનોના શહીદ થવા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય નહીં ભુલાવી શકાય. મારી સંવેદના છત્તીસઘઢમાં માઓવાદિયોથી લડતા શહીદ થનારા જવાનોના પરિવારજનો સાથે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.