છત્તીસગઢની સરકારે કોરોના વાયરસને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. છત્તીસગઢની સરકારે કોવિડ -19 રોગચાળા સામે લડવા માટે તમામ ખાનગી હોસ્પિટલો ટેક ઓવર કરવાનો નિર્ણય લીધો છે.
દેશમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ
છત્તીસગઢ સરકાર પ્રાઈવેટ હોસ્પિટલોને કરી રહી છે ટેક ઓવર
દેશમાં 600થી વધુ કોરોના વાયરસના દર્દીઓ
કોરોના વાયરસ સામેના આ યુદ્ધમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરતી જોવા મળી રહી છે. કોરોના વાયરસને રોકવા માટે દેશમાં લોકડાઉન અમલમાં છે. તે દરમિયાન, છત્તીસગઢ સરકારે કોવિડ -19 રોગચાળા સામે લડવા તમામ ખાનગી હોસ્પિટલોને ટેક ઓવર કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને છત્તીસગઢ સરકારે આ પગલું ભર્યું છે. આ અંતર્ગત, છત્તીસગઢ સરકારે તમામ ખાનગી મેડિકલ કોલેજો, નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલો તાત્કાલિક અસરથી આગળના આદેશ ન આવે ત્યાં સુધી ટેક ઓવર કરી લીધા છે. તમને જણાવી દઇએ કે છત્તીસગઢમાં કોરોના વાયરસના અત્યાર સુધી ત્રણ દર્દીઓની પુષ્ટિ થઈ છે.
દેશમાં કેટલા કેસ છે?
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 600 થી વધુ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની પુષ્ટિ થઈ છે. કોરોના વાયરસ સંકટને ધ્યાનમાં રાખીને દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે.