છેલ્લા દિવસોમાં રાજ્ય સભામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોના મહામારીથી દરમિયાન દેશભરમાં એક પણ વ્યક્તિનું મોત ઑક્સીજનની અછતથી થયું નથી.
કેન્દ્ર સરકારનો ઑકિસજન અછત મુદ્દે દાવો
છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીએ આખા રાજ્યમાં ઓડિટ કરવાના આપ્યા આદેશ
ઑક્સીજન મુદ્દે સરકાર બોલી રહી છે ખોટું
કેન્દ્ર સરકારનો ઑકિસજન અછત મુદ્દે દાવો
છેલ્લા દિવસોમાં રાજ્ય સભામાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોરોના મહામારીથી દરમિયાન દેશભરમાં એક પણ વ્યક્તિનું મોત ઑક્સીજનની અછતથી થયું નથી. કેન્દ્ર સરકારના આ દાવાને છત્તીસગઢની સરકારે સાવ ખોટા સાબિત કરી દીધા અને સાથે જ આદેશ આપવામાં આવ્યા છે કે રાજ્યમાં કોરોનાના કારણે થયેલ મોતમાં કેટલા દર્દીઓના મોત ઑક્સીજનની અછતથી થયા તેની ઓડિટ કરવામાં આવે.
છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રીએ આખા રાજ્યમાં ઓડિટ કરવાના આપ્યા આદેશ
છત્તીસગઢના સ્વાસ્થ્યમંત્રી ટીએસ સિંહ દેવ દ્વારા કહેવામાં આવ્યું કે કેન્દ્ર સરકારે ક્યારેય પણ ઑકિસજનની અછતના કારણે કેટલા મોત થયા છે તેવું પૂછ્યું જ નથી. વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે અમારી પાસે માત્રન કોરોનાના કારણે થઈ રહેલા મોતના આંકડા અને બીજી આંકડા માગ્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જાણી જોઈને આ વિષયમાં ખોટું બોલી રહી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે છત્તીસગઢ સરકાર પાસે ઑકિસજનની અછતના કારણે થયેલા મોતના આંકડા છે જ નહીં. પણ અમે આ આંકડા શોધવાના પ્રયત્નોમાં લાગી ગયા છીએ. સાથે જ તેમણે કહ્યું કે અમે કોરોનાથી થયેલા મોતના આંકડાની ઓડિટ કરી રહ્યા છે. આ વિષયમાં અમે બધુ જ સ્પષ્ટ અને પારદર્શી રાખવા માંગીએ છીએ અને અમે કઈ પણ છુપાવવા નથી માંગતા.
ઑક્સીજન મુદ્દે સરકાર બોલી રહી છે ખોટું
આગળ તેમણે કહ્યું કે અમે ઓડિટ શરૂ પણ કરી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રીએ NGO, બીજી સામાજિક સંસ્થાઓ અને રાજ્યની પ્રજાને વિનંતી કરી છે કે જો કોરોના મહામારી દરમ્યાન કોઈની પાસે ઓક્સિજનની અછતથી મોત થયા હોય તેવી જાણકારી છે તો તે સ્વાસ્થ્ય વિભાગને જાણ કરે. સાથે જ તેમણે એ પણ દાવો કર્યો કે રાજ્યમાં ઑકિસીજન પૂરતા પ્રમાણમાં હતો. રાજ્યની ઑકિસજન ઉત્પાદન ક્ષમતા 388. 87 મેટ્રિક ટન હતી અને વધુમાં વધુ વપરાશ 180 મેટ્રિક ટન હતો.