ટુલકિટ મામલે કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ટુલકિટ મામલે ભાજપના આરોપો પર પલટવાર કરતા કોંગ્રેસે નોંધાવી ફરિયાદ
સંબિત પાત્રા અને રમણ સિંહ વિરુદ્ધ FIR
બનાવટી સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ
ટુલકિટ મામલે ભાજપના આરોપો પર પલટવાર કરતા કોંગ્રેસે નોંધાવી ફરિયાદ
ટુલકિટ મામલે ભાજપના આરોપો પર પલટવાર કરતા કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર રાયપુરના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં છત્તીસગઢ એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ કરાવી છે.
સંબિત પાત્રા અને રમણ સિંહ વિરુદ્ધ FIR
હકિકતમાં કોરોના સંક્ટની વચ્ચે રાજનીતિક દળોમાં શાબ્દીક યુદ્ધ છેડાયેલું છે. ભાજપ તરફથી પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તેમની એક ટૂલકિટના માઘ્યમથી આ સંકટના સમયે પીએમ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. કોંગ્રેસે આ આરોપોને જૂઠા ગણાવ્યા અને સંબિત પાત્રા પર એફઆઈઆર નોંધાવી છે. છત્તીસગઢ એનએસયુઆઈ તરફથી પૂર્વ સીએમ રમન સિંહ અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાની વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવટી સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ
એફઆઈઆરમાં આઈટી રિસર્ચ સેલના લેટરહેડને નકલી ગણાવતા અને તેનાથી ખોટી અને મનથી બનાવેલી સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજ્ય અધ્યક્ષ આકાશ શર્માએ કહ્યુ કે સંબિત પાત્રાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર થી કોંગ્રેસ પાર્ટીના નકલી લેટરહેડને શેર કર્યો. તો રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવા પર ડો. રમન સિંહ કરી રહ્યાનો આરોપ પણ ફરિયાદમાં કરાયો છે. ફરિયાદ આઈપીસી 504, 505(1) બીસી, 469, 188 અંતર્ગત દાખલ કરવામાં આવી છે.
શું છે ટૂલકિટ?
ટૂલકિટ કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કે કોઈ સિક્રેટ હથિયાર નથી હોતું. તે એક સામાન્ય યાદી હોય છે. ટૂલકિટ એટલે કોઈ પણ સૂચનાઓની યાદી. ટૂલકિટને સરળ ભાષામાં સમજીએ તો જેવી રીતે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના સંચાલકો આયોજન કરે છે અને આ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે કેવી રીતે કામ કરવાનું છે તે અંગે એક સિસ્ટમ બનાવે અને તે યાદી સ્વરૂપે રજૂ કરે તેને ટૂલકિટ કહી શકાય. કોઈ કંપની પણ આવી યાદી બનાવીને પોતાની માર્કેટિંગ ટીમને આપી શકે છે.
ટૂલકિટનો રાજકીય વિવાદ ક્યારે શરૂ થયો?
ટૂલકિટને સિક્રેટ મિશન તરીકે પ્રસ્થાપિત કરવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિલ્લીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને વિદેશમાંથી સમર્થન મળવા લાગ્યું હતું. વાત એવી હતી કે, દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગની લડાઇનો ચહેરો બનેલી બાળકી ગ્રેટા થંબર્ગે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું અને એક ટૂલકિટનું ગૂગલ ડોક્યુમેન્ટ રજૂ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, આપણે જેટલા પણ ખેડૂતોના હિત માટે લડી રહ્યા છીએ તે બધા એક કેમ્પેઇન કરીશું. તેણે કેટલાક હેશટેગ પણ સૂચવ્યા હતા કે, આ હેશટેગનો ઉપયોગ કરીને ટ્વીટ કરીશું જેથી ખેડૂતોના અવાજને વાચા મળે. જોકે, ગ્રેટા થંબર્ગે જાહેર કરેલી આ ટૂલકિટ કોઈ નવી ચીજ નથી. જે કોઈ પણ મુદ્દે આંદોલન ચલાવે છે તેની ટૂલકિટ જારી કરે છે. ગ્રેટા ગ્લોબલ વોર્મિંગ સામે મોટી લડત ચલાવી રહી છે. આ માટે પણ તેણે ટૂલકિટ જાહેર કરી હતી. ગ્રેટાની ટૂલકિટ બાદ ભાજપને મુદ્દો મળી ગયો હતો અને ખેડૂત આંદોલનને સમર્થન કરનારાઓ પર ભાજપે આક્ષેપ કર્યા હતા.
જગજાહેર રીતે આપવામાં આવેલી ટૂલકિટને ભાજપ એવી રીતે પ્રસ્તુત કરી રહ્યુ હતું કે, તેણે કોઈ મોટા સિક્રેટનો પર્દાફાશ કર્યો હોય. જોકે, હકીકતમાં આવું કોઈ ષડયંત્ર હોય તો ટ્વીટરમાં જાહરેમાં શા માટે લખે? વાસ્ત્વમાં દરેક રાજકીય પાર્ટી સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચલાવે છે અને તે માટે પોતાની આઈટી સેલની ટીમને એક સૂચના આપવામાં આવે છે કે, તમારે આ રીતે કામ કરવાનું છે. આ સૂચનાને જ ટૂલકિટ ગણાવીને તેના પર રાજનીતિ શરૂ કરી દેવામાં આવી છે. આ રાજનીતિને કારણે દેશને કોરોનાથી બેધ્યાન કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.