કોરોનાના કોહરામની વચ્ચે છત્તીસગઢ સરકારે 15 દિવસ લોકડાઉન લંબાવીને 15 મે સુધી તમામ 28 જિલ્લામાં ધારા 144 લાગુ પાડી દીધી છે.
છત્તીસગઢમાં 15 દિવસ લોકડાઉન લંબાવાયુ
તમામ 28 જિલ્લામાં ધારા 144 લાગુ
કોરોનાના કેસો ન ઘટતા સરકારે લીધો નિર્ણય
બસ્તરમાં કોરોનાનો નવો સ્ટ્રેન જોવા મળ્યો
છત્તીસગઢમા તમામ ધાર્મિક સ્થળ,સ્કૂલ,કોલેજ,દારુની દુકાનો, મંડી, મોલ,સુપર માર્કેટ, લગ્ન હોલ,પાર્ક,જિમ અને હોટલ બંધ રહેશે. બસ્તર વિસ્તારમાં કોરોનાના નવા સ્ટ્રેને દેખા દેતા લોકડાઉનના નિયમોનું કડકાઈથી પાલન કરાવવાનો સરકારે આદેશ આપ્યો છે.રાજ્યના તમામ 28 જિલ્લામાં દારુની દુકાનો પણ બંધ રાખવાનો આદેશ અપાયો છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર લગ્ન અને મરણ માટે કેટલીક છૂટ આપવાનો કલેક્ટરને આદેશ આપી દેવાયો છે.
વૈજ્ઞાનિક અનુમાન પણ પડ્યા ખોટા
ભારતમાં કોરોનાની બીજી લહેરને લઈને વૈજ્ઞાનિક અનુમાનની સ્થિતિની પણ જાણકારી મળી રહી નથી. એપ્રિલના મધ્યમાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે જૂનના પહેલા અઠવાડિયામાં રોજના અઢી હજારથી વધારે દર્દીના મોત થશે. જ્યારે 27 એપ્રિલના ભારતમાં રોજ આવતો મોતનો આંક 3000ને પાર કરી ચૂક્યો હતો.
82 ટકા સુધી વધ્યું સંક્રમણ
એક રિપોર્ટ અનુસાર ભારતમાં છેલાલ 14 દિવસમાં 82 ટકા સંક્રમણના નવા કેસ આવ્યા છે. છેલ્લા 4 અઠવાડિયા પહેલા ભારતમાં સરેરાશ 1,43,343 નવા દર્દી આવી રહ્યા છે. હવે રોજના 3,68,647 નવા દર્દીમાં સંક્રમણમાં જોવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ચકાસણી અને મૃત્યુદરમાં 15 ટકાનો ઘટાડો થયો છે
બીએમસી કમિશનર આઈ એસ ચહલે એક નિવેદન જારી કરતા જણાવ્યું કે અમારી આક્રમક ટેસ્ટિંગ પોલીસને કારણે પોઝિટીવિટી રેટમાં ઘટાડો આવ્યો છે જોકે છેલ્લા થોડા દિવસોથી ટેસ્ટિંગમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ભલામણ કરી છે કે જો પોઝિટિવીટી રેટ 5 ટકા કરતા ઓછો હોય તો જ જે તે શહેરને અનલોક કરી શકાય છે. બીએમસીએ દૈનિક ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરવો પડશે.
દિલ્હી,મધ્યપ્રદેશ ઝારખંડમાં કોરોના ઘટ્યો
યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે દિલ્હી,મધ્યપ્રદે,ઝારખંડ જેવા કેટલાક રાજ્યો કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડાના સંકેતો દર્શાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે જોકે બીજા કેટલાક રાજ્યોમાં દૈનિક કેસોની સંખ્યા વધી રહી છે. તથા આ રાજ્યોએ અગમચેતીના પગલાં ભરવા જોઈએ. આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ,હરિયામા,કર્ણાટક,કેરળ,હિમાચલપ્રદેશ,મણીપુરમાં દૈનિક સંક્રમણ વધી રહ્યું હોવાથી તેમણે વધારે ધ્યાન રાખવાની જરુર છે.