રાજસ્થાન અને પંજાબ બાદ હવે છત્તીસગઢમાં ખુરશી માટે કોંગ્રેસમાં ઝઘડો શરુ થયો છે.
પાર્ટીના હાઈકમાને હજું સુધી સીએમ બદલવાના કોઈ સંકેત નથી આપ્યા
છત્તીસગઢના મુખ્યમંત્રીને બદલવાને લઈને દબાણ
રાહુલની સાથે બઘેલ અને સિંહદેવની બેઠક
છત્તીસગઢના મુખ્યમંત્રીને બદલવાને લઈને દબાણ
કોંગ્રેસ પર છત્તીસગઢના મુખ્યમંત્રીને બદલવાને લઈને દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જો કે પાર્ટીના હાઈકમાને હજું સુધી સીએમ બદલવાના કોઈ સંકેત નથી આપ્યા. છત્તીસગઢમાં સીએમ ભૂપેશ બઘેલ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા સ્વાસ્થ્ય મંત્રી ટી એસ સિંહદેવમાં ખેંચતાણ ચાલી રહી છે. બન્ને નેતા કોંગ્રેસ હાઈકમાનની મુલાકાચ કરવા દિલ્હી પહોંચ્યા છે.
અઢી અઢી વર્ષના સીએમને લઈને સહમતિ બની હતી સિંહદેવના સમર્થકો
સિંહદેવના સમર્થકોએ કહ્યું કે અઢી અઢી વર્ષના સીએમને લઈને સહમતિ બની હતી અને તેવામાં હવે સિંહદેવને મુખ્યમંત્રી બનાવવામાં આવવા જોઈએ. ત્યારે સીએમ બઘેલના નજીકના સૂત્રોનું કહેવું છે કે અઢી અઢી વર્ષના સીએમ બનાવવા જેવા કોઈ ફોર્મૂલા નથી. તેમણે કહ્યું કે આ સમયે સરકારને અસ્થિર કરવા વિનાશકારી હોઈ શકે છે.
રાહુલની સાથે બઘેલ અને સિંહદેવની બેઠક
સમાચાર એજન્સી પીટીઆઈ- ભાષાના જણાવ્યાનુસાર ભૂપેશ બઘેલ અને સિંહદેવ સોમવારે જ દિલ્હી પહોંચી ગયા છે અને મંગળવારે બન્ને નેતા રાહુલ ગાંદીને મળશે. આ પ્રસંગે સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ અને છત્તીસગઢ પ્રભારી પીએલ પૂનિયા પણ હાજર રહેવાની સંભાવના છે. દિલ્હી રવાના થવાથી બઘેલે સંવાદદાતાઓએ કહ્યું કે રાહુલ ગાંધીએ બેઠક બોલાવી છે. વેણુગોપાલજીની સાથે બેઠક છે અને પ્રભારી પણ હાજર રહેશે. એમ પુછવા પર કે શું તેમને અને સિંહદેવને બેઠક માટે એક સાથે બોલાવવામાં આવશે તો સીએમે કહ્યું કે એ રાહુલજી પર છે જેને પણ બોલાવે. મને તો એ જ સુચના મળી છે કે રાહુલ ગાંધી સાથે બેઠક છે.
કોંગ્રસ સરકાર બન્યા બાદ ખેચતાણ
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં ડિસેમ્બર 2018માં કોંગ્રેસની સરકાર બન્યા બાદથ સીએમ બઘેલ અને સિંહદેવની વચ્ચે સંબંધ સહજ નથી રહ્યા. ગત દિવસે બઘેલ જૂથ અને સિંહદેવ જૂથની વચ્ચે મતભેદ તે સમયે વધારે વધ્યો જ્યારે કોંગ્રેસ ધારાસભ્ય બૃહસ્પતિ સિંહે સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવ પર આરોપ લગાવ્યો હતો કે તે તેમની હત્યા કરાવી સીએમ બનવા માંગે છે. બૃહસ્પતિ સિંહે સીએમના નજીકના મનાય છે.