પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર છત્તીસગઢ સરકાર દ્વારા મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસની કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને મુખ્યમંત્રી ભૂપેશ બધેલ દ્વારા રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના શરૂ કરવામાં આવી છે. જેને લઇને સોનિયા ગાંધીએ કહ્યું કે ન્યાય સ્કીમની શરૂઆતથી પાર્ટીના દરેક કાર્યકર ખુશ છે.
અંદાજે 19 લાખ ખેડૂતોને ફાયદો થશે
1500 કરોડ રૂપિયાનો પહેલો હપ્તો જારી થયો
સોનિયા ગાંધીએ કહ્યું કે રાજીવ જી ના હૃદયમાં ખેડુત, ખાસ કરીને મહિલા અને આદિવાસી ખેડૂતો માટે ઘણો પ્રેમ હતો, જેને લઇને સમય-સમય પર આ બધા વચ્ચે જઇને સીધી વાતચીત કરતા હતા અને મુશ્કેલીઓ અંગેની જાણકારી લેતા હતા. તેઓ માનતા હતા કે ખેડૂત અને ખેતી જ ભારતના વિકાસની મુખ્ય મિલકત છે.
જ્યારે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજનાની ઐતહાસિક શરૂઆત સીએમ ભૂપેશ બધેલના નેતૃત્વમાં છત્તીસગઢમાં કરવામાં આવી છે. 19 લાખ ડાંગ, મકાઇ, શેરડી ઉત્પન્ન કરનાર ખેડૂતોના ખાતામાં 7500 રૂપિયા જશે, આજે 1,500 કરોડની પહેલો હપ્તો જશે. આશા છે કે ભારત સરકાર આ અનોખી પહેલથી શીખ લેશે.
Chhattisgarh: Rajiv Gandhi Kisan Nyay Yojana being launched by Chief Minister Bhupesh Baghel in Raipur, on the 29th death anniversary of former Prime Minister #RajivGandhi today. Sonia Gandhi and Rahul Gandhi also join in at the event, via video conferencing. pic.twitter.com/EHAkvqn6hX
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું કે આ યોજના હેઠળ ડાંગર પાક માટે 18 લાખ 34 હજાર 834 ખેડૂતોને પ્રથમ હપ્તામાં 1500 કરોડ રૂપિયાની રકમ પ્રદાન કરવામાં આવી છે. આ યોજનાથી રાજ્યના 9 લાખ 53 હજાર 706 સીમાંત ખેડૂતો, 5 લાખ 60 હજાર 284 નાના ખેડૂતો અને 3 લાખ 20 હજાર 844 મોટા ખેડૂતોને ફાયદો થશે.