કોંગ્રેસની તકલીફો પૂરી થવાનું નામ નથી લેતી. પંજાબ બાદ હવે વધુ એક રાજ્યમાં રાજકીય ઉથલપાથલની અટકળો વચ્ચે 25 ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા.
પંજાબમાં પાવર પોલિટીક્સ
કોંગ્રેસની હાલત એક ઠારવા જતાં બીજું સળગે તેવી છે. પંજાબમાં માંડ હાશકારો થયો હતો ત્યાં સિદ્ધુએ સંગ્રામ શરૂ કર્યો અને પંજાબનો કકળાટ હતો તેનાથી વધુ વકર્યો, તો છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ કોંગ્રેસની હાલત ઉકળતા ચરૂ જેવી છે. જ્યાં ગમે તે ઘડીએ નવાજૂની થઈ શકે છે, છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ સ્ફોટક પરિસ્થિતી જોવા મળી રહી છે. જે પંજાબની માફક કોંગ્રેસના ઘરને કલુષિત કરી શકે છે.
કોંગ્રેસનાં ગઢ કહેવાતા છત્તીસગઢમાં ફરીથી ઉથલપાથલ મચવા પામી હતી. છત્તીસગઢના 25 કોંગ્રેસ કોંગ્રેસ વિધાયક દિલ્હી પહોંચી ગયા હતા અને હવે તમામ ધારાસભ્યોનએ હાઇકમાંડ સાથે મિટિંગ કરવાનો સમય માંગ્યો હતો.
દિલ્હી પહોંચી જનાર કોંગ્રેસના ધારાસભ્યો પરિવર્તનની વિરુદ્ધમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. 2018 માં વિધાનસભા ચૂંટણીમાં 90 માંથી 67 સીટો કોંગ્રેસને મળી હતી. પૂર્ણ બહુમતી વાળી સરકારમાં મુખ્યમંત્રી પદ માટે બે દાવેદારો હતા:
ભૂપેશ બઘેલ અને ટીએસ સિંહ દેવ
છત્તીસગઢનો 'ગઢ' હચમચી ઉઠ્યો
કોંગ્રેસ માટે હાલ પનોતીનો સમય ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પંજાબ કોંગ્રેસ જોવા મળતો ભડકો હજુ શાંત થયો નથી ત્યાં છત્તીસગઢ કોંગ્રેસમાં પણ રાજકીય ગરમી વધી ગઈ છે. છત્તીસગઢ કોંગ્રેસના 25થી વધુ ધારાસભ્યો અચાનક જ દિલ્હી પહોંચ્યા છે. તમામ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પીએલ પુનિયા સાથે મુલાકાત કરશે. આ મુલાકાતથી પ્રદેશમાં કેબિનેટમાં ફેરફાર કે નેતૃત્વ પરિવર્તનની વાતો ફરી શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યો આ રીતે દિલ્હી તરફ કૂચ કરતા અનેક તારણો કાઢવામાં આવી રહ્યાં છે. તો આ મામલે અગાઉ સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે કહ્યું કે ધારાસભ્યો આપમેળે ગયા છે, આમાં કોઈ ખાસ વાત નથી. ધારાસભ્યોના દિલ્લી ધામા અંગે અગાઉ જ્યારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આને કોઈ રાજનીતિના ચશ્માથી જોવાની જરૂર નથી.