છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયો અને સેના વચ્ચે મોટી અથડામણ ચાલી રહી છે. જેમાં સેનાના 5 જવાન શહીદ થયાના સમાચાર છે.
બીજાપુરમાં સેના અને નક્સલીયો વચ્ચે અથડામણ
DRB અને CRPFના જવાનો શહીદ
મોટી અથડામણમાં 5 જવાન શહીદ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના તરરેમમાં 200 નક્સલીયોની સાથે અથડામણમાં DRB અને CRPFના પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે અથડામણમાં ત્રણ જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. માહિતી અનુસાર, અથડામણમાં એક નક્સલી પણ ઠાર મરાયો છે. માહિતી અનુસાર, DRGના જવાન એક ઑપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહનને નક્સલીઓએ નિશાન બનાવ્યા હતા.
હુમલાની પુષ્ટિ કરનારા એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, ઘાત લગાવીને બેઠેલા નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો. આ વચ્ચે ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે 2 MI 17 હેલિકૉપ્ટર બીજાપુર મોકલાયા છે.
ડીજીપી ડીએમ અવસ્થીએ માહિતી આપી કે, અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થઇ ગયા છે. ત્યારે કેટલાક અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ જણાવ્યું કે, ઑપરેશનમાં કેટલાક નક્સલીઓ પણ માર્યા ગયાની શક્યતા છે પરંતુ હાલ તેની પુષ્ટિ નથી કરી.
આ પહેલા ગત મહિને માર્ચમાં નક્સલીયોએ જવાનો ભરેલી બસને IED બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. જેમાં 5 જવાન શહિદ થઇ ગયા હતા. જવાનોની બસ પર આ હુમલો નારાયણપુરમાં થયો હતો.
માહિતી અનુસાર, DRGના જવાન એક ઑપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહનને નક્સલીઓએ નિશન બનાવ્યા હતા. હુમલાની પુષ્ટિ કરનારા એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, ઘાત લગાવીને બેઠેલા નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો.