છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયોએ ભારતીય સેના પર મોટો હુમલો કર્યો હતો. જેમાં કુલ 22 જવાન શહીદ થયા છે. હજુ પણ 1 જવાન લાપતા છે.
બીજાપુરમાં સેના અને નક્સલીયો વચ્ચે અથડામણ
મોટી અથડામણમાં કુલ 22 જવાન શહીદ
1 જવાન હજુ પણ લાપતા, સર્ચ ઓપરેશન શરૂ
છત્તીસગઢના બીજાપુર જિલ્લાના તરરેમમાં થયેલા નક્સલી હુમલામાં વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. DG DM અવસ્થીએ આ વાતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં કુલ 22 મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 1 જવાન લાપતા છે. કુલ 31 જવાન ઇજાગ્રસ્ત છે. આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે.
શનિવારે આ હુમલામાં નક્સલીઓએ રૉકેટ લૉન્ચર અને LMGનો ઉપયોગ કર્યો હતો. સેનાએ નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ ઑપરેશન ચલાવ્યું હતું. નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપુલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વન(PLGA 1)માંથી એક હિડમાના ગઢમાં હતો.
On ground visuals from the site of Naxal attack at Sukma-Bijapur border in Chhattisgarh; 22 security personnel have lost their lives in the attack pic.twitter.com/sVCoyXIRwN
CRPF અને છત્તીસગઢ પોલીસને માહિતી હતી કે નક્સલીઓના મોટા કમાન્ડર હિડમા આ હુમલાથી 1 કિલોમીટર દૂર પોવર્તી ગામમાં છે જ્યારબાદ CRPF અને છત્તીસગઢ પોલીસની ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઇન્ટ ઑપરેશન ચલાવ્યું હતું.
15 નક્સલીઓ ઠાર મરાયા
સેના પર આ હુમલો નક્સલીઓના સંગઠન પીપુલ્સ લિપરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વનની યૂનિટે કર્યો છે જેનું નેતૃત્વ હિડમા જ કરે છે. સેનાને ફણ આ ઑપરેશનમાં મોટી કામયાબી મળી છે અને નક્સલ કાડરના 15 નક્સલી માર્યા ગયા છે, પરંતુ જેવી અંદર સેના જઇ રહી હતી નક્સલીઓએ તેમના પર હુમલો કરી દીધો.
ગઇકાલે અથડામણ બાદ લાપતા થયેલા જવાનોની શોધખોળ કરાઇ હતી
ગઇકાલે અથડામણ બાદ 21 જવાન લાપતા થયા હતા. જવાનોની શોધખોળ માટે આજે સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ત્યારે ગઇકાલે અથડામણમાં શહીદ થયેલા 5માંથી 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા આવ્યા હતા. ત્યારે આજે લાપતા જવાનોની શોધખોળ દરમિયાન વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 22 જવાન શહીદ થયા છે.
તો અથડામણમાં કેટલાક જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોમાં, 23ને બીજાપુર હોસ્પિટલમાં અને 7ને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને ઘટનાની તપાસમાં લાગી છે.
હુમલાની પુષ્ટિ કરનારા એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, ઘાત લગાવીને બેઠેલા નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો. અથડામણમાં ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે 2 MI 17 હેલિકૉપ્ટર બીજાપુર મોકલાયા હતા.
વીર શહીદોના બલિદાનને ક્યારે નહીં ભૂલાવી શકાયઃ પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંદ્રી મોદીએ શનિવારે છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સેનાના જવાનોના શહીદ થવા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય નહીં ભુલાવી શકાય. મારી સંવેદના છત્તીસઘઢમાં માઓવાદિયોથી લડતા શહીદ થનારા જવાનોના પરિવારજનો સાથે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
Chhattisgarh: Mortal remains of a jawan of CRPF's CoBRA battalion who lost his life in an encounter with Naxals in Sukma yesterday brought to Jagdalpur. pic.twitter.com/JmkWM33CH6
આ પહેલા ગત મહિને માર્ચમાં નક્સલીયોએ જવાનો ભરેલી બસને IED બ્લાસ્ટથી ઉડાવી દીધી હતી. જેમાં 5 જવાન શહિદ થઇ ગયા હતા. જવાનોની બસ પર આ હુમલો નારાયણપુરમાં થયો હતો.
માહિતી અનુસાર, DRGના જવાન એક ઑપરેશનથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના વાહનને નક્સલીઓએ નિશન બનાવ્યા હતા. હુમલાની પુષ્ટિ કરનારા એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, ઘાત લગાવીને બેઠેલા નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો.