નવી દિલ્હી: છત્તીસગઢના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. છત્તીસગઢ વિધાનસભા માટે 12 અને 20 નવેમ્બરે બે તબક્કામાં મતદાન કરવામાં આવ્યું હતું.
છત્તીસગઢમાં ભારે બહુમતીથી કોંગ્રેસ આગળ છે. તમામ સીટોનું રૂઝાન આવી ગયું છે. કોંગ્રેસ 48 સીટોથી આગળ છે જ્યારે અજિત જોગીની પાર્ટી 6 સીટોથી આગળ છે. મુખ્યમંત્રી રમણ સિંહએ રાજનાંદગાંવ વિધાનસભા ક્ષેત્રથી કોંગ્રેસના પ્રત્યાશી કરુણા શુક્લાથી 1 હજાર વોટ પાછળ ચાલ્યા બાદ ફરીથી આગળ વધ્યા હતા. કરુણા અટલ બિહારી વાજપેયીની ભત્રીજી છે અને રમણ સિંહને ટક્કર આપી રહી છે.
છત્તીસગઢ વિધાનસભાની 90 વિધાનસભા સીટો પર 76.3 ટકા મતદાન થયું છે. કોંગ્રેસ અને બીજેપીની વચ્ચે સીધી ટક્કર છે. પરિણામ બાદ એ પણ નક્કી થઇ જશે કે અજીત જોગી પાર્ટી બસપા સાથે મળીને કિંગમેકર બની શકી કે નહીં.
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કામાં 12 નવેમ્બરે નક્સલ પ્રભાવિત 18 વિધાનસભા સીટો પર અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે 72 સીટો પર વોટિંગ થયું હતું.
જણાવી દઇએ કે ભાજપના રમન સિંહ સતત 3 વખતથી અહીંયા મુખ્યમંત્રી છે. 2013ની ચૂંટણીમાં ભાજપને 49 સીટો મળી હતી. જાણો છત્તીસગઢમાં બંને પાર્ટીઓએ શું આપ્યું વચન ?
ભાજપ
60 વર્ષથી મોટા ખેડૂતોને પેન્શનનો વાયદો
ખેડૂતોને 1000 રૂપિયા મહિને પેન્શનનો વાયદો
ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને ફ્રીમાં પુસ્તકો
ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને ફ્રીમાં યુનિફોર્મ
મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે લેપટોપ
મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સ્માર્ટફોન
પ્રદેશને નક્સલ મુક્ત કરવાનો વાયદો
કોંગ્રેસ
10 દિવસોમાં ખેડૂતોનુ દેવુ માફ
2 વર્ષોનુ અનાજના બોનસનો વાયદો
12માં સુધી ફ્રીમાં શિક્ષણ
વિદ્યાર્થિનીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી ફ્રીમાં શિક્ષણ