રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે સ્કૂલના પુસ્તકોમાં બંધારણની પ્રસ્તાવનાને ફરજિયાત કરી દીધું છે. રાજ્ય સરકારે આ નિર્ણય યુવાઓમાં ભારતીય બંધારણ અંગેની જાણકારી વધારવાને લઇને લીધો છે.
રાજસ્થાન અને છત્તીસગઢમાં ભારતીય બંધારણ પ્રસ્તાવને ફરજિયાત બનવાયું
દેશના બંધારણ પર ચર્ચા ફરજિયાત કરી દીધી
મુખ્યમંત્રી અશોક ગેહલતોની જાહેરાત બાદ પ્રાઇમરી અને સેકેન્ડરી એજ્યુકેશન વિભાગના મંત્રી (સ્વતંત્ર પ્રભાર), ગોવિંદ સિંહ દોતાસ્રાએ રાજ્યના ટેક્સબુક બોર્ડને આદેશ કર્યો છે કે ધોરણ 1 થી 12 સુધીની બધી ટેક્સબુકના પહેલા પાના પર બંધારણની પ્રસ્તાવના છાપવામાં આવે.
જ્યારે બીજી તરફ છત્તીસગઢની ભૂપેશ બુધેલ સરકારે રાજ્યની દરેક શિક્ષણ સંસ્થાઓમાં બાળકો માટે દેશના બંધારણ પર ચર્ચાને ફરજિયાત કરી દીધી છે. ગત શુક્રવારના રોજ આ અંગનો પરિપત્ર બહાર પાડી જણાવામાં આવ્યું છે કે દરેક શૈક્ષણિક સંસ્થામાં બાળકોને એક કલાક ફરજિયાત ભારતીય બંધારણ પર ચર્ચા કરવાની રહેશે. આ ચર્ચા દર સોમવારે કરવાની રહેશે.
છત્તીસગઢ શિક્ષણ વિભાગ તરફથી જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં જણાવામાં આવ્યું છે કે કયા અઠવાડિયે કયા અધ્યાય પર ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર આ અઠવાડીયે બંધારણની પ્રસ્તાવના પર ચર્ચા કરાશે.