હાલમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે શિયાળામાં કોરોનાના કેસ વધી શકે છે. કોરોનાને દૂર રાખવા માટે દરેક વ્યક્તિએ રોગપ્રતિકારક શક્તિ વધે તેવા પદાર્થોનું સેવન કરવું જોઇએ. ચ્યવનપ્રાશ જેવા આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે.
ચવ્યનપ્રાશ ખાવાથી થાય ફાયદો
પાશનશક્તિ વધારે છે
કોલસ્ટ્રોલ કરે છે ચવ્યનપ્રાશ
આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એિન્ટએજિંગ તત્ત્વ હોય છે, જે સંપૂર્ણપણે હર્બલ હોય છે. ચ્યવનપ્રાશમાં મુખ્યત્વે આમળાં જ વધુ હોય છે, જેને એક શક્તિશાળી એિન્ટઓિક્સડેન્ટ માનવામાં આવે છે. ચ્યવનપ્રાશમાં ભારે પ્રમાણમાં એિન્ટઓિક્સડેન્ટ હોવાથી તે વ્યક્તિને હંમેશાં જવાન રાખવામાં મદદ કરે છે. ચ્યવનપ્રાશ યુવાની ટકાવી રાખવામાં મદદરૂપ બને છે.
• પાચનશક્તિ વધારે
ચ્યવનપ્રાશ શરીરની પેશીઓને પોષણ આપીને સુધારે છે. તે મુક્ત કણોથી થનારા નુકસાનથી તમારી ત્વચાને રક્ષણ આપે છે. આ ઉપરાંત પાચનશક્તિને વધારે છે. ચ્યવનપ્રાશ સતત ૧૦૦ દિવસ સુધી સવાર-સાંજ એક-એક ચમચી લેવાથી ફાયદો થાય છે. સવારે બ્રેકફાસ્ટ કર્યાની ર૦ મિનિટ પહેલાં નવશેકા દૂધ સાથે લેવું જોઇએ અને રાતે સૂવાની ર૦ મિનિટ પહેલાં લેવું જોઇએ.
• કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે
જો નિયમિત ચ્યવનપ્રાશ ખાવાની આદત હશે તો તમારું કોલેસ્ટ્રોલ હંમેશાં કંટ્રોલમાં રહેશે.
• ઈન્ફેક્શન સામે રક્ષણ અને ડિપ્રેશન દૂર કરે
ચ્યવનપ્રાશનું સેવન શરદી અને સંક્રમણ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત જો તમે ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હો તો ચ્યવનપ્રાશ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
• માસિકની સમસ્યા કરે દૂર
ચ્યવનપ્રાશનું નિયમિત સેવન મહિલાઓના માસિકધર્મને નિયમિત રાખે છે. તેની સાથે જ તે પ્રીમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમની સંભાવનાને પણ દૂર કરે છે. તે એક પેઇન કિલરનું પણ કામ કરે છે.
• બ્લડપ્રેશરને કરે કંટ્રોલ
નિયમિત ચ્યવનપ્રાશનું સેવન બ્લડપ્રેશરને હંમેશાં નિયંત્રણમાં રાખે છે. બ્લડપ્રેશરના દર્દીઓ માટે આ એક બેસ્ટ મેડિસિન છે.