BCCIએ પાંચ સભ્યોવાળી નવી સિલેક્શન કમિટીનું એલાન કરી દીધું છે જેમાં અધ્યક્ષ તરીકે ચેતન શર્માને જાળવી રખાયા છે.
BCCIએ સિલેક્શન કમિટીનું કર્યું એલાન
ચેતન શર્માને સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે જાળવી રખાયા
નવી સિલેક્શન કમિટીમાં પાંચ સભ્યો
ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે ટીમ ઈન્ડિયાની નવી સિલેક્શન કમિટીની જાહેરાત કરી દીધી છે. ફરી એક વખત નવા ચીફ સિલેક્ટર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર ચેતન શર્માને યથાવત રખાયા છે. ટી20 વર્લ્ડ કપ 2022માં ખરાબ પ્રદર્શન બાદ સીસીઆઈએ સિલેક્શન કમિટીને હટાવી દીધી હતી, ત્યારબાદ નવી સિલેક્શન કમિટીની શોધ ચાલી રહી હતી. ચેતન શર્મા તે કમિટીના ચેરમેન પણ હતા. નવી સિલેક્શન કમિટી પસંદગી સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા કરવામાં આવી છે. આ માટે 600 જેટલી અરજીઓ આવી હતી, ત્યારબાદ 11ની પસંદગી કરવામાં આવી હતી અને તે તમામના વ્યક્તિગત ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા.
BCCI announces All-India Senior Men Selection Committee appointments
"Chetan Sharma recommended for the role of Chairman of the senior men’s selection committee," says the Board of Control for Cricket (BCCI) pic.twitter.com/sYeLlyzp4A
ટી-20 ફોર્મેટ માટે અલગ કેપ્ટન, નવી કમિટી લેશે નિર્ણય
અત્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે ટી-20 શ્રેણી રમી રહી છે, જે પછી વન ડે શ્રેણી પણ યોજાવાની છે. હવે નવી પસંદગી સમિતિ સામે ન્યુઝીલેન્ડની શ્રેણી માટેની ટીમ સિલેક્શનનો પડકાર રહેશે. વળી, સૌથી મોટો નિર્ણય એ રહેશે કે શું ટી20 ફોર્મેટ માટે અલગ કેપ્ટન બનાવવામાં આવશે. ચાલુ વર્ષે વન ડેનો વર્લ્ડ કપ પણ છે, જેના કારણે નવી સિલેક્શન કમિટિએ અત્યારથી જ રોડમેપ તૈયાર કરવો પડશે.