કેક ઉપર લાગવવામાં આવતી રેડ કલરની નાની ચેરી ઘણા લોકોને નથી ખાતા હોતા, તો ઘણા લોકોને ચેરી ખૂબ જ ભાવતી હોય છે.
અમે તમને જણાવી દઇએ કે, ચેરી ન તો માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક માનવામાં આવે છે.
- વિટામિન અને ખનિજના ચેરીના મુખ્ય સ્ત્રોત છે. ચેરી ઘણા પ્રકારની હોય છે પરંતુ તીખી અને મીઠી ચેરી સૌથી સારી માનવામાં આવે છે, જે પૌષ્ટિક, ફાઇબર, વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે.
- રિસર્ચ અનુસાર, ચેરીમાં એન્ટીઇંફ્લેમેન્ટ્રી અને એન્ટ્રીઓક્સિડન્ટ કમ્પાઉન્ડ હોય છે જે મસલ્સ અને સાંધામાં દુખાવા ને સોજાની સમસ્યામાંથી રાહત આપે છે. તીખી ચેરી અને તેનો રસ મીઠી ચેરીની સરખામણીએ વધારે સારો હોય છે.
- પોષક તત્વોથી ભરપૂર ચેરીના સેવનથી તમારું હૃદય સુરક્ષિત હોય છે. ઘણા રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે,ફળોથી ભરપૂર આહાદ હૃદયની બિમારીમાં ફાયદાકારક છે. ચેરી પોષક તત્વોથી ભરપૂર હોય છે જે હૃદય સ્વાસ્થ્ય રાખવામાં મદદ કરે છે, જેમાં પોટેશિયમ અને પૉલિફેનોલ એન્ટીઓક્સિડન્ટ શામેલ હોય છે.
- શક્તિશાળી એન્ટીઇંફ્લેમેન્ટ્રી ગુણના કારણે ચેરી સંધિવાના લક્ષણોને દૂર કરે છે. એક પ્રકારનો સંધિવા જે યૂરિક એસિડથી થાય છે જેનાથી તમારા સાંધામાં વધારે સોજો અને દુખાવા થાય છે. આ આર્થરાઇટિસના દુખાવાને ઓછો કરીને આરામ પહોંચાડે છે.
- ચેરી ખાવાથી અથવા તો ચેરીનો રસ પીવાથી તમને સારી ઉંઘ આવે છે. આ ઉંઘ પૂરી કરનારા ફળમાંથી એક છે. આ સિવાય ચેરીમાં મેલાટોનિન હોય છે, જે ઉંઘવા-જાગવાના ચક્રને નિયમિત કરે છે.