સામાન્ય રીતે મંદિરોમાં પ્રસાદ તરીકે બૂંદી અથવા લાડુ આપવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવવા જઇ રહ્યાં છે, જ્યાં પ્રસાદમાં સેન્ડવિચ, ચાઉમીન અને બર્ગર મળે છે.
ચેન્નઈના પડપ્પાઈમાં આવેલુ છે જય દુર્ગા પીઠમ મંદિર
અહીં પ્રસાદ તરીકે બર્ગર અને સેન્ડવિચ ધરાવવામાં આવે છે
આ મંદિરનો પ્રસાદ FSSAIથી છે પ્રમાણિત
આ મંદિરમાં ભગવાન સેન્ડવિચ અને બર્ગર ખાય છે
મંદિર એ જગ્યા છે, જ્યાં ભગવાન રહે છે. આમ તો દુનિયાની દરેક વસ્તુમાં ભગવાનનો વાસ હોય છે, પરંતુ મંદિરોમાં તેમની મૂર્તિ સ્થાપિત કરી શ્રદ્ધાળુ માથુ ટેકવે છે. જ્યારે મંદિરમાં પૂજા કરવામાં આવે છે ત્યારે લોકો પ્રસાદ લે છે. આમ પ્રસાદ ભગવાનને ચઢાવવામાં આવેલો ભોગ લોકોને આશીર્વાદ રૂપે આપવામાં આવે છે. સામાન્ય રીતે મદિરોમાં ભોગ તરીકે લાડુ, સાકર અને મિઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં બિરાજેલા ભગવાન સેન્ડવિચ અને બર્ગર ખાય છે.
ચેન્નાઈના આ મંદિરમાં પ્રસાદમાં ફાસ્ટફૂડ ધરાવાય છે
આ મંદિર ચેન્નઈના પડપ્પાઈમાં સ્થિત જય દુર્ગા પીઠમ મંદિર છે. અહીં પ્રસાદ તરીકે શ્રદ્ધાળુને બ્રાઉનીઝ, બર્ગર અને સેન્ડવિચ મળે છે. મંદિર અંગે એક વાત પ્રસિદ્ધ છે કે આ મંદિરનો પ્રસાદ FSSAIથી પ્રમાણિત છે. આ સાથે આ પ્રસાદ પર એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. હાલમાં આ મંદિરને મોર્ડનાઈઝ કરવામાં આવ્યું હતુ અને પ્રસાદના મેન્યુને પણ મોર્ડનાઈઝ કરવામાં આવ્યું છે. જેમાં લાડુ અને મિઠાઈઓને પ્રસાદમાંથી હટાવીને બર્ગર અને સેન્ડવિચ કરી દીધુ છે.
પવિત્રતાનુ રાખવામાં આવે છે ધ્યાન
મંદિરની સ્થાપના કરનાર એક હર્બર ઑન્કોલોજીસ્ટ છે. ઑન્કોલોજીસ્ટ કે શ્રી શ્રીધરે જણાવ્યું કે આ મંદિરમાં પવિત્રતાનુ ધ્યાન રાખવામાં આવે છે. અહીં પ્રસાદને FSSAIથી પ્રમાણિત કરવામાં આવે છે. ઘણી વખત મંદિરોમાં ખરાબ પ્રસાદ વહેંચી દેવામાં આવે છે. જેના કારણે શ્રદ્ધાળુઓની તબિયત ખરાબ થાય છે. લોકો આસ્થામાં પ્રસાદ ગ્રહણ કરી લે છે. પરંતુ આ મંદિરમાં બનાવેલી સેન્ડવિચ અને બર્ગરની ઉપર ડેટ લખેલી હોય છે કે ક્યા સુધી તેને ખાઈ શકાય છે.