પંજાબ સામેની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય થતાં હવે તેઓ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. આ સિઝનમાં તો કેપ્ટન જડ્ડુની ટીમે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.
પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) IPL 2022 માં રમાયેલી આજની મેચમાં CSK નો પરાજય થયો હતો. ચેન્નાઈના કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગ ખાસ્સી એવરેજ રહી હતી જેના કારણે પંજાબે સારો સ્કોર કર્યો હતો. પંજાબે શિખર ધવનના 88 રનની મદદથી 188 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન પંજાબની માત્ર ચાર જ વિકેટો ચેન્નાઈ સુપર કિંગ્સના બોલર્સ પાડી શક્યા હતા.
ધવને 88 રન ફટકાર્યા હતા તો સામે અંબાતી રાયડુએ છ સિક્સર ફટકારી ધુંઆધાર ઇનિંગ રમતાં 39 બોલમાં 78 રન ફટકાર્યા હતા. પણ તે ટીમને વિજય સુધી લઈ જઈ શકવામાં નિષ્ફળ રહ્યો હતો.
આ મેચમાં CSKની ટીમે એક એવો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. જેને કોઈ પણ ટીમ બનાવવા ઈચ્છશે નહીં.
ચેન્નાઈની ટીમે બનાવ્યો આ શરમજનક રેકોર્ડ
IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી છે, ટીમને 5 મેચમાં હાર સાથે તેનું પરિણામ ચુકવવું પડ્યું છે. I
PL 2022માં CSK ટીમે અત્યાર સુધીમાં 11 કેચ છોડ્યા છે. પંજાબ કિંગ્સ સામે પણ ટીમે બે કેચ છોડ્યા હતા. ખેલાડીઓની અંદર એવી કોઈ ચપળતા નથી દેખાઈ, જેના માટે તેઓ જાણીતા છે. ગઈ મેચમાં તો કેપ્ટન જાડેજાએ પણ આસાન લગતા બે કેચ છોડી દીધા હતા અને ચાહકોને નિરાશ કર્યા હતા.
ચાર વખત આઈપીએલનો ખિતાબ જીત્યો
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં CSKની ટીમ ચાર વખત IPL ટાઈટલ જીતી ચુકી છે, પરંતુ IPL 2022 પહેલા ધોનીએ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી, તેની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો. જાડેજાની કપ્તાનીમાં ટીમ 7 મેચમાંથી માત્ર બે જ મેચ જીતી શકી છે, પરંતુ ટીમ પાસે ઘણા સ્ટાર ખેલાડીઓ છે, જે ટીમને વિજેતા બનાવી શકે એટલા સક્ષમ છે.
ચેન્નાઈને 188 રનનો ટાર્ગેટ મળ્યો
પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને જીતવા માટે 188 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પંજાબ તરફથી ઓપનર શિખર ધવને સૌથી વધુ 88 રન બનાવ્યા હતા. ભાનુકા રાજપક્ષે 42 રનની ઇનિંગ રમી હતી. આ સાથે જ લિયામ લિવિંગસ્ટોને 19 રન બનાવ્યા હતા. કેપ્ટન મયંક અગ્રવાલ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. તેણે માત્ર 18 રનનું યોગદાન આપ્યું હતું. ચેન્નાઈ તરફથી ડ્વેન બ્રાવોએ બે અને મહિષ તિક્ષાનાએ 1 વિકેટ લીધી હતી.