ટીમ ઈન્ડિયાનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે અત્યારે સંન્યાસની અટકળો ચાલી રહી છે. ક્રિકેટમાં ચાહકોમાં અત્યારે સૌથી વધારે આ જ ચર્ચા ચાલી રહી છે કે ધોની હવે આગામી મેચ રમી શકશે કે નહિ. વર્લ્ડ કપની સેમીફાઈનલ બાદથી જ ધોની ક્રિકેટથી દૂર છે. ઘણા એક્સપર્ટસનું માની રહ્યા છે કે હવે ભાગ્યે જ ધોની કોઈ મેચ રમી શકે.
ચેન્નઈ સુપર કિંગ્સના માલિકે ધોનીના ભવિષ્ય પર આપ્યું નિવેદન
આવતા વર્ષે પણ ધોની IPL રમશે
ધોનીની આગેવાની હેઠળ જ ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વખત IPL જીતી ચુકી છે
શ્રીનિવાસને કહ્યું એ ધોની આ વર્ષે ટીમની આગેવાની કરશે
ધોની માટે ચાલી રહેલી આ અટકળો વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સનાં માલિક એન શ્રીનિવાસને આઇપીએલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું એ ધોની આ વર્ષે ટીમની આગેવાની કરશે અને આવતા વર્ષે જે આઈપીએલ યોજાશે તેમાં પણ ટીમ ધોનીનાં નેતૃત્વ હેઠળ જ મેદાન પર ઉતરશે.
“MS Dhoni will play this year. And next year he will be in the auction and he will be retained.”
— Whistle Podu Army ® - CSK Fan Club (@CSKFansOfficial) January 18, 2020
છેલ્લાં છ મહિનાથી ધોની ક્રિકેટ અને ટૂર્નામેન્ટથી દૂર
ધોની શરૂઆતથી જ ચેન્નઈની ટીમનો હિસ્સો છે જોકે જ્યારે આ ટીમ પર બે વર્ષનો બેન લગાવવામાં આવ્યો હતો ત્યારે તેઓ ટીમનો હિસ્સો ન હતા. ધોનીની ગણના દુનિયાના શ્રેષ્ઠ વિકેટકિપરમાં થાય છે. છેલ્લાં છ મહિનાથી ધોની ક્રિકેટ અને ટૂર્નામેન્ટથી દૂર છે. હાલમાં જ BCCIએ તેમને વાર્ષિક કોન્ટ્રેક્ટ લીસ્ટમાંથી કાઢી મુક્યા છે.
ચેન્નઈ સુપર કિંગ્સનાં માલિકે તો ત્યાં સુધી કહ્યું કે જ્યારે આવતા 2021માં IPL માટે હરાજી કરવામાં આવશે ત્યારે તે લોકો ધોનીને ફરીથી રીટેન કરી લેશે. નોંધનીય છે કે ધોનીની આગેવાની હેઠળ જ ચેન્નઈ સુપર કિંગ્સ ત્રણ વખત IPL જીતી ચુકી છે.
ધોની ઝારખંડમાં નેટ પ્રેક્ટીસ કરતા નજરે પડ્યા
ધોનીને BCCIની કોન્ટ્રેક્ટ લીસ્ટમાંથી કાઢી નાખ્યા બાદ ઘણા ધોની ફેન્સ નિરાશ થઇ ગયા હતા જોકે બાદમાં એક્સપર્ટસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ધોની T 20 વર્લ્ડ કપમાં સામેલ થાય તો ફરીથી તેમનું નામ કોન્ટ્રેક્ટ લીસ્ટમાં આવી શકે છે. હાલમાં જ ધોની ઝારખંડમાં નેટ પ્રેક્ટીસ કરતા નજરે પડ્યા હતા જે બાદ ખબરો આવી કે ધોની IPLમાં વાપસી કરી શકે છે.