ચેન્નઇ સુપર કિંગ્ઝને IPL પહેલો મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહીતી અનુસાર ચેન્નઇ સુપરકિંગ્ઝના 11 સદસ્યોને કોરોના થઇ ગયો છે. કોરોના પોઝીટીવ લોકોના નામનો ખુલાસો થયો નથી પરંતુ ટીમ માટે આ ખરાબ સમાચાર છે.
ચેન્નઇ સુપરકિંગ્ઝમાં ફેલાયો કોરોના
પોઝીટીવ લોકોમાં કોણ તેનો ખુલાસો નહી
આઇસોલેટ કરવામાં આવી સમગ્ર ટીમને
આઇસોલેટ થઇ ટીમ
ચેન્નઇ સુપરકિંગ્ઝના જે સદસ્યોને કોરોના થયો છે તે ખેલાડી છે, સ્ટાફ છે કે અધિકારી તેની જાણકારી હજુ સુધી મળી શકી નથી. હવે ટીમનો ક્વોરંટાઇન સમય એક અઠવાડીયુ વધી ગયો છે. દુબઇ પહોંચ્યા બાદ જ આ લોકોને કોરોના થયો છે. હાલ તો સમગ્ર ટીમને આઇસોલેટ કરી દેવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર ચેન્નઇ સુપર કિંગ્ઝના દરેક લોકોનો કોરોના ટેસ્ટ ફરીથી કરવામાં આવશે. આ કોરોના ટેસ્ટ શુક્રવારે થશે અને શનીવારે તેના રિઝલ્ટ આવશે.