ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)નાે ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો સ્નાયુ ખેંચાઈ જવાને કારણે બે સપ્તાહ સુધી આઇપીએલમાં રમી નહીં શકે. ટીમના બેટિંગ કોચ માઇક હસીએ આ અંગેની જાણકારી આપી. CSKની ટીમ આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે પોતાની પાંચમી મેચ રમવાની છે.
વિન્ડીઝનાે ઓલરાઉન્ડર બ્રાવો ગત બુધવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાયેલી મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે CSK ટીમનો સ્ટાર ખેલાડી છે. હસીએ જણાવ્યું, ''હું એ વાતની પુષ્ટિ કરું છું કે બ્રાવોના સ્નાયુ ખેંચાઈ ગયા છે અને તે બે સપ્તાહ સુધી આઇપીએલની બહાર રહેશે. અમારા માટે આ બહુ જ મોટું નુકસાન છે.
તેની હાજરીથી અમારી ટીમ ઘણી જ સંતુલિત રહેતી હતી અનેે તે શાનદાર ખેલાડી છે. અમારે હવે ટીમમાં કેટલાક ફેરફાર કરવા પડસે, પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે મજબૂત ટીમ મેદાનમાં ઉતારવા સફળ રહીશું.'' ડ્વેન બ્રાવોએ આ સિઝનમાં અત્યાર સુધી રમેલી ચાર મેચમાં કુલ સાત વિકેટ ઝડપી છે.