કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની મિત્રતામાં ફૂલ ઓછા કાંટા વધારે દેખાઈ રહ્યા છે. કેટલાક દિવસ પહેલા સીએમ કુમારસ્વામીએ કાર્યકર્તાઓ સામે રડીને પોતાના દિલની વાત કહીં હતી. હવે પૂર્વ સીએમ સિદ્ધારમૈયાની લેટર પોલિટિક્સે તેમનું ચેન છીનવી લીધું છે. આ ચીઠ્ઠીઓના કારણે સીએમ કુમારસ્વામીનો પારો ચઢેલો છે. સિદ્ધારમૈયાની ચિઠ્ઠીઓ કુમારસ્વામીના પિતા અને પૂર્વ પીએમ એચડી દેવગૌડાનો પૂર્વ સીએમ ધરમસિંહના વિરુદ્ધ લેટરવોરની યાદ અપાવે છે.
જણાવી દઈએ કે જ્યારથી એચડી કુમારસ્વામી કર્ણાટકમાં કોંગ્રેસ-જેડી(એસ) ગઠબંધનની સરકારના મુખ્યમંત્રી બન્યા છે સિદ્ધારમૈયા તેમને અને તેમના મંત્રિઓને અત્યાર સુધીમાં 9 પત્રો મોકલી ચુક્યા છે. જેમાંથી વધારે તેમના ચૂંટણી ક્ષેત્ર બાદામી સાથે જોડાયેલી ફરિયાદો છે. તેમના હમણાના પત્રમાં તેઓએ ઈંધનના ટેક્સના ભાવ વધારવા અને પીડીએફ-બીપીએલ પરિવારોને વેચાનાર ચોખાની માત્રાને ઘટાડવાના પ્રસ્તાવને પાછો લેવીની માંગ કરી છે.
આ કારણે છેલ્લા કેટલાક દિવસોથી કુમારસ્વામીનો ગુસ્સો જોઈ શકાય છે. થોડા સમય પહેલા મીડિયા સાથેની વાતચીતમાં ગઠબંધન સરકારની તકલીફોનું વર્ણન કરતા તેઓ સાર્વજનિક પ્લેટફોર્મ પર ભાવુક થયા હતા. ઘણા લોકો તેને સિદ્ધારમૈયાનુ સુર્ખીઓમાં છવાયેલા રહેવુ અને આ ઉપરાંત કુમારસ્વામીને ખીજવવા માટે જાણીજોઈને ઉઠાવેલું પગલુ માની રહ્યા છે.