NIAએ ફરિયાદમાં ઉમેશ કોલ્હેની હત્યાને ISIS સ્ટાઈલથી કરાઇ હોવાની સાથે ભારતમાં એક વર્ગને ટાર્ગેટ કરવાનું કૃત્ય જણાવાયું
અમરાવતીમાં કેમિસ્ટ હત્યા કેસમાં NIAની તપાસ શરૂ
ઉમેશ કોલ્હેની હત્યા ISIS સ્ટાઈલથી કરાઇ: NIA
ભારતમાં એક વર્ગને ટાર્ગેટ કરવાનું કૃત્ય : NIA
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાની તપાસ NIAને સોંપવામાં આવી છે. જે બાદમાં શનિવારે મોડી રાત્રે NIAએ ફરિયાદ દાખલ કરી છે. આ તરફ હવે ફરિયાદમાં ઉમેશ કોલ્હેની હત્યાને ISIS સ્ટાઈલથી કરાઇ હોવાની સાથે ભારતમાં એક વર્ગને ટાર્ગેટ કરવાનું કૃત્ય જણાવાયું છે.
મહારાષ્ટ્રના અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યાના મુખ્ય આરોપીની પોલીસે નાગપુરથી ધરપકડ કરી છે. અત્યાર સુધી પોલીસે આ કેસમાં ઈરફાન ખાન (35) સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે. ઈરફાન ખાન આ હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ જણાવવામાં આવી રહ્યો છે. ઈરફાન ખાન એનજીઓ ચલાવે છે. ઈરફાને નૂપુર શર્માને ટેકો આપવા બદલ કેમિસ્ટને મારી નાખવાની સૂચના આપી હતી અને તેણે આખો પ્લાન બનાવ્યો હતો. અમરાવતીના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર નીલિમા અરાજે જણાવ્યું હતું કે, ઉમેશ કોલ્હે હત્યા કેસના સંબંધમાં નાગપુરમાંથી 7ની ધરપકડ કરવામાં આવી છે.
21 જૂને થઈ હતી હત્યા
આ ઘટના 21 જૂને રાત્રે 10 થી 10.30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે ઉમેશ તેની દુકાન 'અમિત મેડિકલ સ્ટોર' બંધ કરીને ઘરે જઈ રહ્યો હતો. સંકેત તેની પત્ની વૈષ્ણવી સાથે બીજા સ્કૂટર પર સવાર હતો. સંકેતે જણાવ્યું હતું કે, 'અમે પ્રભાત ચોકથી જઈ રહ્યા હતા અને અમારા સ્કૂટર વિમેન્સ કોલેજ ન્યૂ હાઈસ્કૂલના ગેટ પાસે પહોંચ્યા. મારા પિતાની સ્કૂટી સામે એક મોટરસાઇકલ પર આવેલા બે માણસો અચાનક આવી ગયા. તેઓએ મારા પિતાની બાઇક રોકી હતી અને તેમાંથી એકે તેમના ગળાની ડાબી બાજુએ છરી વડે હુમલો કર્યો હતો. મારા પિતા પડી ગયા અને લોહી વહેવા લાગ્યું. મેં મારું સ્કૂટર રોક્યું અને મદદ માટે બૂમો પાડવા લાગી. અન્ય એક વ્યક્તિ આવ્યો અને ત્રણેય મોટરસાઇકલ પર સ્થળ પરથી ભાગી ગયા." આસપાસના લોકોની મદદથી, કોલ્હેને નજીકની એક્સન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું.
નોંધનિય છે કે, મહારાષ્ટ્રના અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેની હત્યાના મુખ્ય આરોપી ઈરખાન ખાનને પોલીસે ઝડપી પાડ્યો છે, પોલીસે નાગપુરમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી એક એનજીઓ ચલાવે છે અને તે જ હતો જેણે શમીમ અને તેના મિત્રોને હત્યા કરવા માટે પ્રેરિત કર્યા હતા તેમજ લોજિસ્ટિક સપોર્ટ આપ્યો હતો. અમરાવતીના એસીપી આરતી સિંહે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ઇરફાન ખાનની પૂછપરછ ચાલી રહી છે.