બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાત કેમિસ્ટ એસો.નો મોટો નિર્ણય, વેપારીઓને આપ્યો મહત્વનો આદેશ
Last Updated: 10:59 AM, 10 May 2025
ADVERTISEMENT
ભારત-પાકિસ્તાન વચ્ચે વર્તમાન સ્થિતિને લઇ કેમિસ્ટ એસોસિયેશનને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.. દવા સ્ટોક વધારવા ગુજરાત કેમિસ્ટ એસો. પ્રમુખે સૂચના આપી છે. રિટેલ વેપારીઓને જણાવાયું છે કે તેઓ 20 થી 30 દિવસનો સ્ટોક રાખે. તો હોલસેલ વેપારીઓને બે મહિનાનો વધુ સ્ટોક રાખવા નિર્દેશ કરાયો છે. રાજ્યના તમામ દવાના વેપારીઓને આ અંગે સૂચના આપી દેવાઇ છે.
ADVERTISEMENT
ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું કે દવાઓના બિઝનેસમાં ગુજરાતમાં થ્રી ટાયર સિસ્ટમ છે.. જેમાં દવાઓ મેન્યુફેક્ચરરના ત્યાંથી ડેપો પર આવે છે. ડેપોમાંથી ડિસ્ટ્રીબ્યુટરના ત્યાં આવે છે અને ડિસ્ટ્રીબ્યુટરના ત્યાંથી રિટેલરના ત્યાં પહોચે છે. આમાં ત્રણ મહિના સ્ટોક ડેપો પર હોય દોઢ મહિનાનો સ્ટોક ડિસ્ટ્રીબ્યુટર જોડે હોય અને 15 દિવસનો સ્ટોક રિટેલર જોડે હોય છે.. પરંતુ હાલની સ્થિતિને જોતા ડેપો પર ચારથી 6 મહિનાનો સ્ટોક રાખવા, ડિસ્ટ્રીબ્યુટરને 2 મહિનાનો સ્ટોક રાખવા અને રીટેલરને 20 થી 30 દિવસનો સ્ટોક રાખવા કહેવાયું છે.
વર્તમાન સ્થિતિ છે તે જોતા દવાઓની જરૂરીયાત વધારે પડી શકે છે તે જોતા આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને એન્ટીબાયોટિક દવાઓની સૌથી વધુ જરૂરીયાત પડતી હોય છે.
આ પણ વાંચોઃ 'પાકિસ્તાન........' ઇન્સ્ટાગ્રામ પર દુશ્મન દેશનું સમર્થન 19 વર્ષની છોકરીને ભારે પડ્યું, થઈ ધરપકડ
મહત્વનું છે કે ગુજરાતમાંથી દુનિયાના 93 દેશોમાં દવાઓ સપ્લાય થાય છે.. મહત્વનો મુદ્દો ડિસ્ટ્રીબ્યુશનનો હોવાનું જશુભાઇ પટેલે જણાવ્યું હતું અને ડિસ્ટ્રીબ્યુશનની અંદર કોઇ અછત ઉભી ન થાય તેની તકેદારી રાખવા જણાવાયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.