વડોદરાને એક કંપની પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે પરંતુ હજુ પણ તે કંપની પર કોઇ કાર્યવાહી નથી કરાઇ. વડોદરાની કિરી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેનાલમાં ઝેરી કેમિકલ્સ છોડવામાં આવી રહ્યાં છે પરંતુ કોઇ કાર્યવાહી નથી કરાઇ. ત્યારે આ અંગે CMને પત્ર લખવામાં આવતા મામલો બહાર આવ્યો છે.
માનીતા ઉદ્યોગપતિઓને છોડવા દેવાય છે ઝેરી પાણી
VECL કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડવા દેવાય છે
પાદરાના ધારાસભ્યએ CMને પત્ર લખી કરી રજૂઆત
આ અંગે પાદરાના ધારાસભ્ય જશવંત પઢિયારે સીએમ રૂપાણીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે. જેમાં એન્વાયરો ચેનલ લિમિટેડના સલાહકાર શંકર પટેલની જ કંપની કિરી ઇન્ડસ્ટ્રીઝમાંથી જ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે. અને એન્વાયરો ચેનલના MD સતિષ પંચાલ શંકર પટેલને છાવરી રહ્યાનો પણ આક્ષેપ થઇ રહ્યો છે.
જ્યારે અન્ય કંપનીઓને પાણી છોડવા બદલ નોટિસ ફટકારવામાં આવે છે. જો કે કિરી ઇન્ડસ્ટ્રીઝ સામે કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી. ત્યારે સવાલ એ છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડતી કિરી ઇન્ડસ્ટ્રીઝ પર કાર્યવાહી કેમ નહીં?. માનિતા ઉદ્યોગપતિઓ પર કોની છે રહેમ નજર?. કોના કહેવાથી કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડવા દેવામાં આવે છે?.અન્ય કંપનીઓને ઝેરી કેમિકલ છોડવા પર સજા તો કિરી ઇન્ડસ્ટ્રીઝને કેમ નહીં?.
સળગતા સવાલ
પર્યાવરણને નુકસાન પહોંચાડતી કિરી ઇન્ડસ્ટ્રીઝ પર કાર્યવાહી કેમ નહીં?
માનિતા ઉદ્યોગપતિઓ પર કોની છે રહેમ નજર?
કોના કહેવાથી કેમિકલયુક્ત પાણી કેનાલમાં છોડવા દેવામાં આવે છે?