ઈંગ્લેડમાં કરવામાં આવેલા એક સર્વે મુજબ આપણા ઘરમાં રહેલા જંતુનાશક સ્પ્રેમાં કોરોના વાયરસને મારવાની તાકાત છે. સિટ્રિયોડોલ નામનું આ રસાયણ સામાન્ય જંતુનાશક, મચ્છર મારવાના સ્પ્રેમાં પણ હોય છે. બ્રિટેનના ડિફેન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ આ વિશે શરુઆતની માહિતી ભેગી કરી છે.
મચ્છર માનવાના સ્પ્રેનો ઉપયોગ કોરોનાને મારવા માટે કરી રહ્યા છે
સિટ્રિયોડોલ કેમિકલ નીલગિરીના ફુલો, છાલમાંથી પ્રાપ્ત થાય છે
આ સ્પ્રેથી તે હ્યુમન બોડીમાં પ્રવેશી શક્યો નહીં
વૈજ્ઞાનિકોએ જોયુ કે સ્પ્રે ફોર્મમાં જંતુનાશક બનાવનારી કંપનીઓ સિટ્રિયોડોલ નામના રસાયણના ઉત્પાદન અને તેનો ઉપયોગ કરે છે. જેમાં કોરોનાની વિરુદ્ધ લડવાની ક્ષમતા હોય છે. એટલું જ નહીં જ્યારે સિટ્રિયોડોલને પ્રવાહી રુપે કોરોના વાયરસની સાથે ભેળવવામાં આવ્યો તો કોરોના મરતો જોવા મળ્યો હતો.
શોધ મુજબ જંતુનાશક સ્પ્રે અને કોરોનાને એક સાથે ભેળવવામાં આવ્યો. જેમાં કોરોના ખતમ થતો જોવા મળે છે. એટલું જ નહીં મોજી ગાર્ડ નામના સ્પ્રેએ તો કમાલ કરી નાંખી. વાયરસ પર એવી અસર છોડી કે વાયરસ કોઈ કામનો ન રહ્યો. મતલબ કે તે હ્યુમન બોડીમાં પ્રવેશી શક્યો નહીં.
સ્પ્રેમાં ઉપયોગમાં આવનાર સિટ્રિયોડોલ કેમિકલ નીલગિરીના ફુલો, છાલમાંથી પ્રાપ્ત થાય છે. જે એશિયા, દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.
બ્રિટિશ રક્ષા મંત્રાલયના જણાવ્યાનુંસાર શોધ બહું આગળ નથી કરવામાં આવી પરંતુ શોધના શરુઆતના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેથી દુનિયાભરમાં ચારી રહેલા કોરોનાની શોધમાં મદદ મળી શકે. જો કે મે મહિનામાં બ્રિટિશ સૈનિક મચ્છર માનવાના સ્પ્રેનો ઉપયોગ કોરોનાને મારવા માટે કરી રહ્યા છે.